અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન ધંધુકાના 48 વર્ષના વ્યક્તિનું મોત, કુલ મૃત્યુઆંક વધીને 38 થયો
બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડનો મામલો
ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધી 38 લોકોના મોત
ધંધુકાના 48 વર્ષના એક વ્યક્તિનું મૃત્યુ
બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડ બાદ પણ અનેક જગ્યાએથી દેશી દારૂની થેલીઓ દૂધના પાઉચની જેમ વેચાય છે. તેવામાં ગુજરાતમાં દારૂબંધીને લઈ પોલીસ પર અનેક સવાલો ઉભા થયા છે. તો બીજી તરફ કેમિકલ વાળો ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 38 લોકો મોતને ભેટયા છે. વધુ એક અસરગ્રસ્તનું SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.ધંધુકાના 48 વર્ષના એક આધેડે દમ તોડી દીધો છે.
ભાવનગરમાં એડમિડ થયેલા 88 દર્દીમાંથી 15ના મોત
ભાવનગરમાં કુલ 88 દર્દીઓને સારવાર માટે લવાયા છે જેમાંથી 15 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. હાલમાં 73 દર્દીઓ ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાંથી 7 દર્દીઓની હાલત અંત્યત ગંભીર છે. તો આ તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 15 દર્દીઓ સારવાર હેઠળ છે. બરવાળા લઠ્ઠાકાંડમાં તપાસનો પણ ધમધમાટ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી કુલ 15 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલ આરોપીઓને કાલે બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
'નશાનું વેચાણ કરનાર પર કાર્યવાહી કરવાના આદેશ'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કેમીકલ યુક્ત માદક દ્રવ્ય ના સેવનથી સર્જાયેલી ઘટના અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આવા પદાર્થો સહિતના નશાયુક્ત પદાર્થોના ગેરકાયદે વેચાણ કરનારાઓ સામે સખ્તાઈથી પેશ આવવા રાજ્યના પોલીસ દળને સ્પષ્ટ સૂચનાઓ આપી છે
'ગુનેગારોને કડકમાં કડક સજા કરો'
બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થયેલી આ ઘટના અંગે જે તપાસ સમિતિ રચવામા આવી છે તે ત્વરિત તપાસ પૂર્ણ કરી અહેવાલ આપે એટલું જ નહીં ગુનેગારો સામે કડક માં કડક કાયદાકીય કાર્યવાહી થાય તે માટે પણ સૂચના આપી હતી આ બેઠકમા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્હ્યું કે રાજ્યમા પોલીસ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરીને રેડ કરવામા આવી છે તેમજ અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા છે
2 નાની દીકરી નોંધારી બની
બોટાદમાં સર્જાયેલ.લઠ્ઠાકાંડમાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે.જેમાં બરવાળાના ભીલરપુર ગામે રહેતા રતિલાલ દેવીપૂજકનો નાનો પુત્ર દીપક દારૂ પીવાથી મોતને ભેટ્યો છે....દીપકના માતાના જણાવ્યા પ્રમાણે થોડા સમય અગાઉ દીપકની પત્નીનું અવસાન થયું હતું..જે બાદ દીપકને દારૂની લત લાગી હતી...હાલ દીપકની બે નાની દીકરીઓએ પહેલા માતા અને હવે પિતાની છત્રછાયા ગુમાવી છે