આજે શનિવારે સાળંગપુરના હનુમાનને ખાસ શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાનજીએ ખાસ ઔષધિઓનો શણગાર કરવામાં આવ્યો હતો.
સાળંગપુર હનુમાનજી મંદિરે ઔષધિઓ ઉત્સવની ઉજવણી
હનુમાનજીને વિવિધ પ્રકારની ઔષધિઓનો શણગાર કરાયો
ઓનલાઈન પણ ભકતો દર્શનનો લાભ લઇ શકશે
ધનુર માસ નિમિતે યોજાશે ઔષધિઓ શણગાર
સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મદિરે પવિત્ર ધનુર માસ નિમિતે સૌ પ્રથમ વાર દાદાને વિવિધ અલગ અલગ પ્રકારની ઔષધીઓનો વિશેષ શણગાર કરવામાં આવ્યો તેમજ દાદા ને નાગરવેલનાં પાન ના વાઘા પહેરવામાં આવ્યા અને ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
બોટાદ જિલાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મદિર કે કહેવાય છે કે શ્રધ્ધા નું બીજું નામ એટલે સાળંગપુર ધામ જ્યાં સાળંગપુર મદિર રોજના ખુબજ મોટી સખ્યામાં હરીભક્તો દર્શન માટે આવતા હોઈ છે તેમજ હનુમાનજી મદિરે અલગ અલગ ત્યોહાર કે પછી શનિવાર હોઈ ત્યારે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોઈ છે
હાલ પવિત્ર ધનુર માસ ચાલી રહ્યો હોઈ જેમાં અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવતા હોઈ છે .ત્યારે આજે હનુમાનજી દાદાનો શનિવાર હોવાથી દાદાને ખાસ અલગ અલગ પ્રકારની ઔષધિ ઓનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને ખાસ નાગરવેલનાં પાન માંથી બનાવેલ વાઘા પહેરાવવામાં આવ્યા હતા તેમજ આજે શનિવાર હોવાથી હજારોની સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.