બોટાદઃ અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી આ કહેવતને સાર્થક કરી છે. બોટાદ જિલ્લાના આહિર સમાજના એક યુવાને રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાંથી 20 યુવક-યુવતીઓની પસંદગી કરવામાં આવી હતી. હિમાલયની પર્વતારોહણ માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાં બોટાદ જિલ્લાના ગઢડાના આહિર યુવાન સુનિલ બોરીચાએ 18 933 ફૂટનું હનુમત ટીબાનું શિખર સર કરીને અનોખી સિધ્ધિ હાંસીલ કરી છે.
સુનિલને આ સિદ્ધિ મળતા જ સ્પોટ કલ્બ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. હાલ આહીર સમાજના યુવાને આ સિધ્ધિ હાંસલ કરતા સમાજમાં પણ ખુશીનો માહોલ છે. સુનીલ આગળ પણ સિદ્ધિઓ હાંસલ કરે તેવી શુભકામનાઓ લોકો આપી રહ્યા છે. તો તેમના પરિવારમાં પણ ખુશી જોવા મળી હતી.
ગઢડામા આવેલ સ્પોટ કલબમાં સુનીલ મેમ્બર છે. તે રોજ વોલીબોલ રમતો હતો. તેમણે જુનાગઢમાં અને જમ્મુ કાશ્મીરમાં પણ તૈયારીઓ કરી હતી. હિમાચલ પર્વતારોહણની સિદ્ધિ હાંસલ કરી હતી. સુનીલે હજી વધારે ઉંચાઈ પર પહોચી સિધ્ધિ હાંસલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે અન્ય યુવાનોને પણ પર્વતારોહણ માટે તૈયાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.