બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રત્નકલાકારે કોમ્પલેક્સના પાંચમાં માળેથી લગાવી મોતની છલાંગ, જુઓ હૃદય કંપાવતા CCTV
Last Updated: 05:35 PM, 17 January 2025
બોટાદના હિફલી વિસ્તારમાં આવેલા આશીર્વાદ કોમ્પ્લેક્સમાં એક ચકચારી ઘટના બની છે. એક રત્નકલાકારે કોમ્પ્લેક્સનાં પાંચમા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી છે. મૃતક રત્નકલાકારની ઓળખ કાનીયાડ ગામના રસિકભાઈ કાલીયા તરીકે થઈ છે.
ADVERTISEMENT
બોટાદમાં રત્નકલાકારે 5મા માળેથી છલાંગ લગાવી જીવન ટુંકાવ્યું#botad #diomandworker #vtvgujarati pic.twitter.com/QWfQfAxu6z
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 17, 2025
રત્નકલાકારે ટુંકાવ્યું જીવન
ADVERTISEMENT
પ્રાપ્ત વિગતો મુજબ રસિકભાઈ હીરાના કારખાનામાં એસોર્ટિંગનું કામ કરતા હતા. તેઓ હિફલી વિસ્તારમાં આવેલ મહાજનની વાડી પાસેના આશીર્વાદ કોમ્પ્લેક્સની અગાસી પરથી છલાંગ લગાવી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. જો કે, આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો: 'ખોવાયા છે, જડે ઈ જાણ કરજો..' અમરેલી પત્રકાંડ પર પરેશ ધાનાણીએ ભાજપ નેતાઓ પર સાધ્યું નિશાન
આત્મહત્યાનું કારણ હજુ અકબંધ
આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાના પગલે પંથકમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.