જળસંગ્રહ એ આજનાં સમયની તાતી જરૂરિયાત થઈ ગઈ છે. કેમ કે, ચોમાસામાં વહી જતું પાણી ઉનાળામાં આપણને જ રાતાપાણીએ રડાવતું હોય છે. ઉનાળામાં પાણીનાં એક એક ટીપાંની કિંમત સમજાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. આ વાત ભલે વર્તમાન સમયમાં આપણને ન સમજાય પરંતુ કેટલાક એવા લોકો પણ છે જેણે આ વાતને બરાબર સમજી લીધી છે. કેટલાક એવા લોકો પણ છે જેમણે વરસાદનાં વહી જતાં જળની કિંમત સમજીને તેને ભવિષ્ય માટે બચાવી જાણ્યું છે અને માનવજાતને નવો સંદેશો આપ્યો.
હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. કરોડો ગેલન પાણી ધરતી પર વરસી રહ્યું છે અને તેમાંથી મોટા ભાગનું પાણી એમ જ વહી જઈ રહ્યું છે. ચોમાસામાં વહી જતાં પાણીનો નજારો જોઈને ખુશ થઈએ છીએ પરંતુ પછી ઉનાળામાં પાણી માટે જંગ ખેલવા નીકળી પડીએ છીએ. છતાં આપણે મોર્ડન હોવાનું ગૌરવ અનુભવીએ છીએ. પરંતુ કેટલાક એવા લોકો પણ છે જેમણે વરસાદનાં વહી જતાં જળની કિંમત સમજીને તેને ભવિષ્ય માટે બચાવી જાણ્યું છે અને માનવજાતને નવો સંદેશો આપ્યો છે જોઈએ આ અહેવાલમાં.
જળસંગ્રહ એ આજનાં સમયની તાતી જરૂરિયાત થઈ ગઈ છે. કેમ કે, ચોમાસામાં વહી જતું પાણી ઉનાળામાં આપણને જ રાતાપાણીએ રડાવતું હોય છે. ઉનાળામાં પાણીનાં એક એક ટીપાંની કિંમત સમજાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. આ વાત ભલે વર્તમાન સમયમાં આપણને ન સમજાય પરંતુ કેટલાક એવા લોકો પણ છે જેણે આ વાતને બરાબર સમજી લીધી છે.
ભરૂચનાં કેટલાક નાગરિકોને જળસંગ્રહની વર્ષો જૂની પરંપરા તેમને પૂર્વજો તરફથી વારસામાં મળી છે અને નવી પેઢીના અનેક લોકોએ તેને સજીવ રાખી છે. અહીં નાગરિકોનાં ઘર પર પડતાં વરસાદી જળનાં એકએક ટીપાનું તેઓ સંરક્ષણ કરી જાણે છે. બીજી બાજુ જળબચતનાં સ્તુત્ય પ્રયાસ પણ કરવામાં આવેલ છે. આણંદ (Anand) જિલ્લાનાં બોરસદ (Borsad) શહેરની સંસ્કાર, સમર્થ અને સહજાનંદ આ ત્રણ સોસાયટીઓનાં રહીશોએ વરસાદ વહી જતા નીરની કિંમત સમજી તેને બચાવવા પ્રયાસ હાથ ધર્યો છે. આ ભગીરથ પ્રયાસ ફળ સ્વરૂપે તેમણે હાલ વરસાદનાં 1 કરોડ લીટર પાણીનો સંગ્રહ કરી લીધો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વરસાદી પાણીને જમીનમાં ઉતારી જળ સંચયનો સંદેશ અપાયો છે. ત્યારે આણંદની આ ત્રણ સોસાયટીનાં રહીશોએ આ વિચારને અમલમાં મૂકી દીધો છે. તેમણે વપરાશ વિના જ વહી જતાં વરસાદી પાણીને સંગ્રહ કરવાનું અને પાણી ઠેર ઠેર ભરાવાની સમસ્યાનું નિરાકરણ શોધી કાઢ્યું છે અને તે પણ માત્ર 50 હજારનાં નજીવા ખર્ચે. આ સોસાયટીનાં નાગરિકોએ રિવર્સ બોર બનાવીને પાણી વેસ્ટ જતું અટકાવવાનો પ્રયાસ કર્યો છે.
અપનાવી આ અનોખી પદ્ધતિઃ
વરસાદી તથા વેસ્ટ પાણી પાઇપલાઇન દ્વારા ભૂગર્ભ ચેમ્બર્સમાં ઉતારવામાં આવે છે. આ માટે સોસાયટીમાં 5 ચેમ્બર બનાવાઈ છે. આ ચેમ્બર્સ દ્વારા પાણી કુવામાં ઉતારવામાં આવે છે. જ્યાં કચરો જમીનમાં બેસી ગયા બાદ સ્વચ્છ પાણી પાઇપલાઇન દ્વારા 250 ફૂટ ઊંડા રિવર્સ બોર દ્વારા જમીનમાં ઉતારવામાં આવે છે. આ માટે 40 બાય 40 ફૂટનાં બનાવેલા કૂવામાં પથ્થરો નાખી 250 ફુટ ઊંડો રિવર્સબોર બનાવેલો છે. જેથી રિચાર્જ બોરમાં માત્ર સ્વચ્છ પાણી જ ઉતારી શકાય છે.
સોસાયટીનાં રહીશો દ્વારા જળ એ જ જીવનનું સૂત્ર આપી અન્ય સોસાયટીનાં રહીશોને પણ તેઓ જળ સંચય માટેનો સંદેશ આપી રહ્યાં છે. આપણે જળ બચાવીશું તો આપણી આવનારી પેઢીને જળસંકટનો સામનો કરવો પડશે નહીં એમ અહીંનાં રહીશોનું માનવું છે. ત્યારે જો બોરસદનાં જળરક્ષકોની જેમ જો અન્ય નાગરિકો પણ આ જળસંગ્રહ માટે અવનવી પદ્ધતિ અપનાવે તો આવનારી પેઢીને જળ માટે જંગ નહીં ખેલવો પડે.