બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન પોતાના ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરી છે. ત્યારે ગુજરાત મુલાકાત દરમિયાન તેમણે રશિયા-યૂક્રેન યુદ્ધ અને રશિયા-ભારતના સંબંધો અંગે નિવેદન આપ્યું છે.
બ્રિટનના વડાએ ગુજરાત પ્રવાસથી શરૂ કર્યો છે ભારત પ્રવાસ
રશિયા અને ભારતના સંબંધો પર બોરિસ જોનસનનું નિવેદન
આ મુદ્દે પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરીશઃ જોનસન
બ્રિટનના પ્રધાનમંત્રી પોતાના 2 દિવસીય ભારત પ્રવાસ પર અમદાવાદ પહોંચ્યા છે. આ સમયે તેમણે કહ્યું કે અમે આ વર્શના અંત સુધી ભારતની સાથે વધુ એક મુક્ત વેપાર કરવાની આશા કરી રહ્યા છીએ. બોરિસ જોન્સને કહ્યું કે, દરેક વ્યક્તિ જાણે છે કે ભારત-રશિયા વચ્ચે ઐતિહાસિક રીતે ખૂબ જ અલગ સંબંધો છે.
તેમણે કહ્યું કે, વિશ્વ અર્થવ્યવસ્થાના મોટા ભાગને જોતા એવું કરવું યોગ્ય છે. ભારત અને બ્રિટન બન્ને દુનિયાભરમાં ચાલી રહેલા તણાવને લઇને ચિંતિત છે. અમે બન્ને લોકશાહી છીએ અને અમે એકસાથે રહેવા માંગીએ છીએ.
ભારત-રશિયા વચ્ચે ઐતિહાસિક રીતે ખૂબ જ અલગ સંબંધો છેઃ જોનસન
બ્રિટિશ પીએમએ કહ્યું કે, ભારત અને યૂકેની પાસે પોતાની સુરક્ષા અને રક્ષા ભાગીદારીને મજબૂત કરવાનો પણ અવસર છે. બોરિસ જૉનસને કહ્યું કે, જેમકે હું જોઈ રહ્યો છું ભારત અને રશિયા વચ્ચે ઐતિહાસિક રીતે બહુ જ અલગ સંબંધ છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં રશિયા અને યૂકેની સાથે ભારતના સંબંધ મજબૂત થયા છે. આપણે તે વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરવી પડશે. તેમણે કહ્યું કે, આ સંબંધમાં હું ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરીશ.
બૂચામાં થયેલા અત્યાચારની ભારતે પણ કરી છે નિંદાઃ જોનસન
તેમણે કહ્યું કે, યૂક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા જંગમાં ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. તેમ છતા હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આ મુદ્દે જરૂર ચર્ચા કરીશ. જો તમે ભારતીયોના નજરીયાથી જુઓ તો જે પ્રકારે અત્યાચાર કરવામાં આવ્યા છે તેની આખી દુનિયાએ નિંદા કરી છે. ભારતીઓએ પણ આ ઘટનાની મજબૂતીથી નિંદા કરી છે.
Well, they've already raised Ukraine, as you can imagine with Prime Minister Modi. And actually, if you look at what the Indians have said, they were very strong in their condemnation of the atrocities in Bucha: British PM Boris Johnson in Gujarat pic.twitter.com/thbJv4x1fw
એક અરબ પાઉન્ડના નવા રોકાણ અને આયાત કરારો પર નજર
જણાવી દઈએ કે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસન ભારતની પોતાની યાત્રા દરમિયાન કેટલાક વ્યાપારી કરારોનું એલાન કરશે અને દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોમાં નવા યુગની શરૂઆત કરશે. બ્રિટનના ઉચ્ચાયોગે જણાવ્યું કે બ્રિટન અને ભારતીય વેપાર સૉફ્ટવેર એન્જિનિયરિંગથી લઇને સ્વાસ્થ્ય ક્ષેત્ર સુધી એક અરબ પાઉન્ડના નવા રોકાણ અને નિકાસ કરારોની પુષ્ટિ કરશે. આનાથી બ્રિટનમાં અંદાજિત 11,000 નોકરીઓ ઉભી થવાની આશા છે.
બ્રિટિશ પીએમ આવતીકાલે પ્રધાનમંત્રી મોદી સાથે કરશે મુલાકાત
બ્રિટિશ પીએમ બોરિસ જૉનસન આજે ગુજરાતમાં કેટલીક બેઠકોમાં ભાગ લેશે. આજે સાંજે તેમના દિલ્હી પહોંચવાના સમાચાર છે. બ્રિટિશ પીએમ આવતીકાલે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.