બ્રિટનના પીએમ બોરિસ જોનસને ગુજરાતમાં કરાયેલા ભવ્ય સ્વાગતને લઇને કહ્યું કે, 'મને સચિન તેંડુલકર અને અમિતાભ બચ્ચન જેવો અનુભવ થયો.'
બ્રિટિશ પીએમ બોરિસ જોનસન હાલ ભારત પ્રવાસે
PM મોદી સાથે દિલ્હી હૈદરાબાદ હાઉસ ખાતે કરી મુલાકાત
મને સચિન તેંડુલકર અને અમિતાભ બચ્ચન જેવો અનુભવ થયો: જોનસન
બ્રિટિશ પીએમ બોરિસ જોનસન હાલ ભારત પ્રવાસે છે ત્યારે તેઓનું ગુજરાતમાં જોરદાર સ્વાગત કરવામાં આવતા તેઓએ પોતાના સ્વાગતને લઇને દિલ ખોલીને વાત કરી છે. જોનસને કહ્યું કે, ગુજરાતમાં જે રીતે તેઓને આવકાર મળ્યો તેનાથી તેઓને જાણે કે સચિન તેંડુલકર અને અમિતાભ બચ્ચન જેવો અનુભવ થયો. પીએમ નરેન્દ્ર મોદીને ખાસ મિત્ર ગણાવતા બ્રિટિશ પીએમએ કહ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધો ઘણા મજબૂત બન્યા છે.
#WATCH | Delegation-level talks between PM Modi and British PM Boris Johnson are underway at Hyderabad House in Delhi pic.twitter.com/UyM3SqsV0A
જોનસને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાતચીતને લઇને પત્રકારોને પોતાની ભારત યાત્રા અંગેની જાણકારી આપી. જેમાં તેઓએ પીએમ મોદીની ભારે પ્રશંસા કરી હતી. તો ગુજરાતમાં પોતાના સ્વાગતને લઇને વાત કરતા કહ્યું હતું કે, મને ગુજરાતમાં સ્વાગત દરમ્યાન એવું લાગી રહ્યું હતું કે, હું સચિન અને અમિતાભ છું. અમદાવાદમાં મારા પોસ્ટર ચારે બાજુ લાગેલા હતા જેનાથી હું વધારે અભિભૂત થયો હતો.
પડકારરૂપ સમયમાં અમે વધારે નજીક આવ્યાં
જોનસને જણાવ્યું કે, વર્તમાન પડકારરૂપ સમયમાં ભારત અને બ્રિટન એકબીજાની વધારે નજીક આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, બંને દેશોની વચ્ચે સુરક્ષા ભાગીદારી વધારવાને લઇને ચર્ચા કરાઇ. એ સિવાય અનેક સંરક્ષણ સમજૂતી પણ થઇ. ફાઇટર જેટ ટેક્નિકથી માંડી સમુદ્રી ટેક્નિકને ભારત સાથે શેર કરવા અંગે પણ બંને દેશો વચ્ચે મહત્વની વાતચીત થઇ.
PM મોદીએ યુક્રેન યુદ્ધ અંગે વાત કરી
પીએમ નરેન્દ્ર મોદીએ યુક્રેન યુદ્ધને એક વાર ફરી તુરંત રોકવા અને આ સમસ્યાનું સમાધાન માટે રાજદ્વારી પદ્ધતિ અપનાવવાનો આગ્રહ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે, મે જોનસન સાથે તમામ દેશોની ક્ષેત્રીય અખંડતા અને સંપ્રભુતાને લઇને પણ વાત કરી. ઉલ્લેખનીય છે કે, યુક્રેન યુદ્ધને લઇને ભારત રશિયા પર વધારે સતર્ક પ્રતિક્રિયા આપી રહ્યું છે.
#WATCH I've the Indian jab (COVID19 vaccine) in my arm, and it did me good. Many thanks to India, says British PM Boris Johnson in Delhi pic.twitter.com/LiinvUCACB
બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસને આજે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશના પીએમે રક્ષા, રાજદ્વારી અને આર્થિક ભાગીદારી પર ચર્ચા કરી હતી. બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસને આજે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશના પીએમે રક્ષા, રાજદ્વારી અને આર્થિક ભાગીદારી પર ચર્ચા કરી હતી. સાથે જ કેટલાય કરાર પર હસ્તાક્ષર પણ કર્યા હતા. વાતચીતનો ઉદ્દેશ્ય બંને દેશોની ભાગીદારીને મજબૂત કરવા અને સુરક્ષા વધારવાનો છે. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે, અમે આ વર્ષના અંત સુધીમાં ભારત બ્રિટેન મુક્ત વેપાર કરારને પુરા કરવાની કોશિશ પર નિર્ણય લીધો છે. બ્રિટેન ભારત પર કેન્દ્રીત મુક્ત સામાન્ય નિર્યાત લાયસન્સ બનાવવા પર કામ કરી રહ્યું છે. જેનાથી રક્ષા ખરીદીમાં ઓછો સમય લાગશે.
જોનસનનું આવવું ઐતિહાસિક ક્ષણ
પીએમ મોદીએ આગળ કહ્યું કે, છેલ્લા કેટલાય વર્ષથી ભારત અને યુકેના સંબંધોને મજબૂત કરવામાં પ્રધાનમંત્રી જોનસની અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ સમયે જ્યારે ભારત પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે. પ્રધાનમંત્રી બોરિસ જોનસનનું અહીં આવવું, એક રીતે ઐતિહાસિક ક્ષણ છે.
અફઘાનિસ્તાન માટે સમર્થનની વાત
પ્રધાનમંત્રી મોદીએ બ્રિટેનના પ્રધાનમંત્રી જોનસન સાથે મુલાકાત બાદ કહ્યું કે, અમે હિંદ પ્રશાંત ક્ષેત્રમાં મુક્ત, ખુલ્લા અને નિયમ આધારિત વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર આપ્યો છે. અમે શાંતિપૂર્ણ, સ્થિર અને સુરક્ષિત અફઘાનિસ્તાન માટે પોતાના સમર્થનની વાત આગળ ધરી છે.