બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને એલાન કર્યુ છે કે કોરોના વાયરસના એક અજ્ઞાત સ્ટ્રેનનો ખતરાથી નાગરિકોની રક્ષા માટે સોમવારથી તમામ ટ્રાવેલ કોરિડોર પર બેન લગાવાવમાં આવ્યો છે. જોનસને કહ્યું કે અનેક વ્યક્તિઓ જે બીજા દેશથી બ્રિટન આવી રહ્યા છે. તેમને આવતા પહેલા પોઝિટીવ ન હોવાના પુરાવા બતાવવા પડશે. આ પહેલા બ્રાઝિલમાં ફેલાયેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેન બાદ દક્ષિણ અમેરિકા અને પોર્ટુગલથી આવનારા પ્રવાસીઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
10 લાખ લોકો 4 મહિનાથી પણ ઓછા સમયમાં મૃત્યુ પામ્યા
નવા નિયમ ઓછામાં ઓછા 15 ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે
ગરીબ દેશોમાં આ અભિયાનને ચલાવવામાં પણ અનેક અડચણો છે
નવા નિયમ ઓછામાં ઓછા 15 ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે
પ્રધાનમંત્રી જોનસનનું કહેવું છે કે નવા નિયમ ઓછામાં ઓછા 15 ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે. બ્રિટનના પીએમએ આ પગલુ એવા સમયે ઉઠાવ્યુ છે જ્યારે બ્રિટનમાં કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યા 87 હજારને પાર કરી ગઈ છે. સરકારી આંકડા મુજબ શુક્રવારે કોરોના વાયરસથી 55, 761 મામવા સામે આવ્યા છે. આ દરમિયાન કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં મરનારા લોકોની સંખ્યા શુક્રવારે લગભગ 20 લાખ થઈ ગઈ છે. જોકે અનેક દેશોએ મહામારી પર કાબૂ મેળવવા માટે પોતાને ત્યાં રસીકરણ શરુ કરી દીધુ છે. પરંતુ ગરીબ અને ઓછા વિકસિત દેશોમાં રસી પહોંચાડવામાં સમસ્યા આવી રહી છે.
10 લાખ લોકો 4 મહિનાથી પણ ઓછા સમયમાં મૃત્યુ પામ્યા
કોરોના વાયરસ ડિસેમ્બર 2019માં પહેલી વાર ચીનના વુહાન શહેરમાં સામે આવ્યો હતો. મૃત્યુ સંબંધી આંકડા બ્રસેલ્સ, મક્કા અને વિયેનાની આબાદી બરાબર છે. ઉલ્લેખનીય છે કે શરુઆતના 10 લાખ લોકોના મોત 8 મહિનામાં થયા હતા. પરંતુ આવનારા 10 લાખ લોકો 4 મહિનાથી પણ ઓછા સમયમાં મૃત્યુ પામ્યા છે. મોતના આંકડા દુનિયાભરમાં સરકારી એજન્સીઓ દ્વારા દર્શાવવામાં આવ્યા છે. જ્યારે બિમારીના કારણે મૃત્યુની અસલ સંખ્યા વધારે હોઈ શકે છે. કેમ કે મહામારીની શરુઆતના દિવસોમાં મોત થવાના અનેક કારણો દર્શાવવામાં આવ્યા હતા.
ગરીબ દેશોમાં આ અભિયાનને ચલાવવામાં પણ અનેક અડચણો છે
બ્રાઉન યૂનિવર્સિટીના સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં મહામારી વિશેષજ્ઞ ડો. આશીષ ઝાએ કહ્યું કે ઘણા લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે વૈજ્ઞાનિક સમુદાયએ અસાધારણ કામ કર્યુ છે. અમેરિકા, બ્રિટન, ઇઝરાઈલ, કેનેડા અને જર્મની જેવા સંપન્ન દેશોમાં લાખો લોકોને સુરક્ષા આપવાનું કામ શરુ કરી દેવાયું છે. તેમને ઓછામાં ઓછુ રસીનો એક ડોઝ આપી દેવાયો છે. અનેક દેશોમાં રસી પહોંચી નથી. અનેક વિશેષજ્ઞો અનુમાન લગાવી રહ્યા છે કે ઈરાન, ભારત, મેક્સિકો અને બ્રાઝિલમાં આ વર્ષ ભારે બેકાર હોઈ શકે છે. દુનિયાભરમાં કોરોના વાયરસથી મરાનારાઓમાં અડધા લોકો આ દેશના હતા. અમીર દેશોમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યુ છે. પરંતુ ગરીબ દેશોમાં આ અભિયાનને ચલાવવામાં પણ અનેક અડચણો છે. જેમાં નબળી સ્વાસ્થ્ય પ્રણાલી, લેસ પરિવહન, ભ્રષ્ટાચાર અને રસીને ફ્રીઝરમાં રાખવા માટે વીજળીનો અભાવ વગેરે સામેલ છે.
બ્રાઝિલ, ભારત માટે આ વર્ષ પડકાર ભર્યો રહેશે
અનેક વિશેષજ્ઞોનું અનુમાન છે કે ઈરાન, ભારત, મેક્સિકો અને બ્રાઝિલમાં આ વર્ષ મુશ્કેલી ભર્યુ હોઈ શકે છે. દુનિયાભરમાં કોવિડ 19થી મરનારા લોકોમાં અડધા લોકો આ દેશોમાંથી હતા. ધનવાન દેશોમાં રસીકરણ અભિયાન તો ચાલી રહ્યુ છે પરંતુ ગરીબ દેશોમાં આ અભિયાનને ચલાવવામાં અનેક સમસ્યાઓ આવી રહી છે. જેમાં નબળી સ્વાસ્થ્ય પ્રણાલી, લેસ પરિવહન, ભ્રષ્ટાચાર અને રસીને ફ્રીઝરમાં રાખવા માટે વીજળીનો અભાવ વગેરે સામેલ છે.