ઋદ્ધિમાન સાહાને એક ઇન્ટરવ્યૂ માટે ધમકાવનાર પત્રકાર બોરીયા મજૂમદાર પર બીસીસીઆઈ બે વર્ષ બેન લગાવી શકે છે. જાણો શું છે સમગ્ર મામલો
પત્રકાર બોરીયા મજૂમદાર પર લાગી શકે છે બે વર્ષ માટે બેન
ઋદ્ધિમાન સાહાને આપી હતી ધમકી
ટ્વીટર પર સાહાએ શેર કર્યા હતા સ્ક્રીનશોટ
પત્રકાર બોરીયા મજૂમદાર પર લાગી શકે છે બે વર્ષ માટે બેન
ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહાને એક ઇન્ટરવ્યૂ માટે ધમકાવનાર પત્રકાર બોરીયા મજૂમદાર પર બીસીસીઆઈ બે વર્ષ બેન લગાવી શકે છે. બીસીસીઆઈએ આ મામલાની તપાસ માટે ત્રણ સદસ્યોની સમિતિ બનાવી હતી. સમિતિએ આ મામલામાં મજૂમદારને દોશી ઠેરવ્યો છે અને હવે તેની સામે કાર્યવાહી થઇ શકે છે. સાહાને ભારતની ટેસ્ટ ટીમથી બહાર કરવા પર મજૂમદારે તેમની સાથે આ બાબતે વાત કરવાની ઈચ્છા જતાવી હતી, પરંતુ તેમના ના પાડવા પર મજૂમદાર ભડકી ગયા અને ક્યારેય ઇન્ટરવ્યૂ ન કરવાની પણ ધમકી આપી હતી.
સમાચારો અનુસાર, હવે બોરિયા મજૂમદાર પર બે વર્ષનો બેન લાગી શકે છે. તેમને કોઈપણ સ્ટેડિયમમાં જવાની અનુમતિ નહીં મળે. બીસીસીઆઈ સાથે જોડાયેલ કોઈપણ કાર્યક્રમમાં તેમને સામેલ કરવામાં આવશે નહીં અને બધા ખેલાડીઓ પણ તેમની સાથે વાત કરશે નહીં.
શું છે મામલો?
બીસીસીઆઈ તરફથી 19 ફેબ્રુઆરીનાં રોજ શ્રીલંકા સામે ટી20 અને ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ટીમનું એલાન કરવામાં આવ્યું હતું. અરંતુ તેમાં અમુભાવી વિકેટકીપર ઋદ્ધિમાન સાહાને જગ્યા મળી ન હતી. ત્યાર બાદ એક પત્રકારે સાહાને વોટ્સએપ મેસેજ કરીને ઇન્ટરવ્યૂની માંગણી કરી, જેનાં પર સાહાએ કોઈ જવાબ આપ્યો ન હતો અને પછી તેને પત્રકાર તરફથી પરિણામ ભોગવવાની પણ ધમકીઓ આપવામાં આવી હતી. સાહાએ આખી વાતનો સ્ક્રીનશોટ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરીને નારાજગી જતાવી હતી.
પત્રકારે શું કહ્યું હતું?
પત્રકારે સાહાને મેસેજ કરતા લખ્યું હતું કે મારી સાથે ઇન્ટરવ્યૂ કરો, એ ઘણું સારું રહેશે. જો તમે લોકતાંત્રિક રહેવા માંગો છો તો હું દબાણ નહીં કરું. તે એક વિકેટકીપર પસંદ કરે છે, જે સૌથી શ્રેષ્ઠ હોય છે. તમે 11 પત્રકાર પસંદ કરવાની કોશિશ કરો છો, જે મારા હિસાબે બરાબર નથી. તેને પસંદ કરો, જે સૌથી વધારે તમારી મદદ કરી શકે છે. ત્યાર બાદ પત્રકારે લખ્યું હતું કે તમે ફોન ન કર્યો. હું પછી ક્યારેય તમારું ઇન્ટરવ્યૂ નહીં કરું. હું અપમાન સહન નહીં કરી શકું અને આ હું યાદ રાખીશ. તમારે આ નહોતું કરવું જોઈતું.
સાહાએ આ વાતચીતનાં સ્ક્રીનશોટ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યા હતા. ત્યાર બાદ ક્રિકેટ જગતનાં ઘણા દિગ્ગજોએ સાહાનું સમર્થન કર્યું હતું અને બીસીસીઆઈ પાસેથી આ મામલા પર કાર્યવાહી કરવાની પણ માંગણી કરી હતી. બીસીસીઆઈએ ત્રણ સદસ્યોની સમિતિ બનાવી હતી, જમણે આખા મામલાની તપાસ કરી. આ દરમિયાન જ આ ખુલાસો થયો હતો કે બોરિયા મજૂમદાર એ પત્રકાર હતા, જેમણે સાહાને ધમકી આપી હતી. તપાસ સમિતિએ તેમને દોશી ઠેરવ્યા અને હવે તેમની સામે કાર્યવાહી થઇ શકે છે.