બાંગ્લાદેશ-ભારતની સીમા પર બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશના જવાનોએ બીએસએફના જવાનો પર ગોળીબાર કર્યો, જેમાં બીએસએફનો એક જવાન શહીદ થઇ ગયો છે અને એક ઘાયલ થઇ દયો છે.
ભારત-બાંગ્લાદેશ સીમા પર બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશે બીએસએફના જવાનો પર ગોળીબાર કર્યો છે
આ ગોળીબારમાં એક હેડ કૉન્સ્ટેબલ શહીદ થઇ ગયા અને એક ઘાયલ કૉન્સ્ટેબલ હોસ્પિટલમાં દાખલ છે
ભારત-બાંગ્લાદેશ સીમા પર બાંગ્લાદેશી સેના તરફથી કરવામાં આવેલ ગોળીબારમાં સીમા સુરક્ષાબળનો એક જવાન શહીદ થઇ ગયો છે. તો બીજી બાજુ ગંભીર રૂપથી ઘાયલ એક જવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જાણકારી પ્રમાણે બીએસએફના જવાન એ માછીમારોની શોધખોળ કરી રહ્યા હતા, જેમને બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશે બંધક બનાવી દીધા હતા.
જાણવા મળી રહ્યું છે કે ગુરુવારે ભારત-બાંગ્લાદેશ સીમા પર ભારતના 3 માછીમારો પદ્મા નદીમાં માછલી પકડવા ગયા હતા. બાદમાં બે માછીમારો પરત આવ્યા અને અને એમને બીએસએફની કકમારીચાર પોસ્ટ પર સૂચના આપી કે બીજીબીએ એમના ત્રણને પકડી લીધા હતા પરંતુ બાદમાં બે ને મુક્ત કર્યા. માછીમારો પ્રમાણે બીજીબીએ એમને કહ્યું કે એ બીએસએફ પોસ્ટ કમાન્ડરને ફ્લેગ મીટિંગ માટે બોલાવે.
જ્યારે બીએસએફના જવાન ભારતીય માછીમારોની શોધમાં ગયા તો બીજીબીએ એમની પર ગોળીબાર કરી દીધો. ગોળી હેડ કૉન્સ્ટેબલ વિજય ભાનના માથામાં વાગી. આ ઉપરાંત એક કૉન્સ્ટેબલના હાથમાં ગોળી વાગી ગઇ. બંનેને તરત મેડિકલ માટે લઇ જવામાં આવ્યા. હોસ્પિટલ પહોંચચતા પહેલા જ વિજય ભાન સિંહનું મોત થઇ ગયું હતું.