આસામ અને મિઝોરમ વચ્ચેનો સરહદીય વિવાદ વધારે ભડક્યો છે. બન્ને રાજ્યોના સુરક્ષાદળો અને મિઝોરમના નાગરિકો વચ્ચે હિંસક ઝપાઝપીની ઘટના બની છે.
આસામ અને મિઝોરમ વચ્ચેનો સરહદીય વિવાદ વધારે ભડક્યો
બોર્ડર પર આસામના સુરક્ષાદળો અને મિઝોરમના નાગરિકો વચ્ચે હિંસક ઝપાઝપી
બન્ને રાજ્યોના મુખ્યમંત્રીઓએ એકબીજા પર લગાવ્યા આરોપ
બંને રાજ્યોના મુખ્યમંત્રીઓએ આ મુદ્દે ટ્વીટ કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકો લાકડીઓ લઈને જોવા મળી રહ્યાં છે. હાલના તણાવે દાયકાઓથી ચાલી રહેલા વિવાદને હવા આપી છે. તેને લઈને રાજકારણ ગરમાયું છે.
મિઝોરમના મુખ્યમંત્રીએ ગૃહમંત્રી અમિત શાહના હસ્તક્ષેપની માંગ કરી
મિઝોરમના મુખ્યમંત્રી ઝોરામથાંગાએ મામલામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તક્ષેપની માંગ કરતા ટ્વીટ કરી કહ્યુ કે, આ ઘટનાને તાત્કાલિક ધોરણે અટકાવવી જોઈએ.
તેમણે કહ્યું કે ચાહરના રસ્તે મિઝોરમ આવતા નિર્દોષ દંપત્તિ પર ગુંડાએ હુમલો કર્યો અને તેની ગાડીમાં તોડફોડ કરી છે. આખરે આ પ્રકારની હિંસક ઘટનાઓને તમે કઈ રીતે ન્યાયયોગ્ય ઠેરવશો.
અસમના મુખ્યમંત્રી સરમાને ટ્વીટ કરીને ઝોરામથાંગાએ જવાબ આપ્યો અને અસમ પોલીસ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે લખ્યું- પ્રિય હિમંતાજી માનનીય અમિત શાહજી તરફથી મુખ્યમંત્રીઓની શાંતિપૂર્ણ બેઠક બાદ આશ્ચર્યજનક રૂપથી અસમ પોલીસની બે કંપનીઓએ નાગરિકો પર લાઠીચાર્જ કર્યો. એટલું જ નહીં અસમ પોલીસે નાગરિકો પર ટીયર ગેસના સેલ છોડ્યા. તેમણે મિઝોરમની સરહદમાં સીઆરપીએફ કર્મીઓ અને મિઝોરમ પોલીસ પર પણ હુમલો કર્યો.
બન્ને રાજ્ય વચ્ચે સરહદીય વિવાદ ખૂબ જૂનો છે
આમ તો બંને પાડોશી રાજ્યો વચ્ચે સરહદ વિવાદ જૂનો છે. બંને રાજ્યોએ સરહદ વિવાદને કતમ કરવા માટે વર્ષ 1995 બાદથી ઘણી વાર્તાઓ કરી પરંતુ તેનો કોઈ ફાયદો થયો નથી. મિઝોરમના ત્રણ જિલ્લા આઇઝોલ, કોલાસિબ અને મમિત અને અસમના ત્રણ જિલ્લા કછાર, કરીમગંજ અને હૈલાકાન્ડી એકબીજા સાથે જોડાયેલા છે. રાજ્યોના આ જિલ્લા એકબીજા સાથે લગભગ 164.6 કિલોમીટરની લાંબી સરહદ શેર કરે છે. હાલનો વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમિત શાહે પૂર્વોત્તરનો પ્રવાસ કર્યો હતો.
Innoncent couple on their way back to Mizoram via Cachar manhandled and ransacked by thugs and goons.
એક્શનમાં આવ્યું કેન્દ્રીય ગૃહમંત્રાલય
સૂત્રોના જણાવ્યાનુસાર બન્ને રાજ્યો વચ્ચેની તંગદિલી વધતી જોઈને કેન્દ્રીય ગૃહમંત્રાલયે પણ દખલ કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બન્ને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને સરહદીય વિવાદનો ઉકેલ લાવવાનું જણાવ્યું છે. બન્ને મુખ્યમંત્રીઓ સરહદીય વિવાદ ઉકેલવવા રાજી છે અને શાંતિ ઈચ્છે છે. વિવાદીત સ્થળેથી બન્ને રાજ્યોની પોલીસ હટી ગઈ છે.
Dear Himantaji, after cordial meeting of CMs by Hon’ble Shri @amitshah ji, surprisingly 2 companies of Assam Police with civilians lathicharged & tear gassed civilians at Vairengte Auto Rickshaw stand inside Mizoram today. They even overrun CRPF personnel /Mizoram Police. https://t.co/SrAdH7f7rv
બન્ને રાજ્યો વચ્ચેનો વિવાદ ક્યાંથી શરુ થયો
જ્યારે આસામ પોલીસે તેની જમીન પર કથિત રીતે અતિક્રમણ હટાવવાનું અભિયાન શરુ કર્યું ત્યારે બન્ને રાજ્યો વચ્ચે વિવાદ પેદા થયો હતો. 10 જુલાઈએ આસામ સરકારની ટીમ ઘટનાસ્થળે ગઈ ત્યારે અજાણ્યા લોકોએ તેની પર હુમલો કરી દેતા વિવાદ વધારે વકર્યો હતો.