અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. તેજસ સ્કૂલ પાસે ટાંકી ધરાશાયી થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. બોપલ વિસ્તારમાં ટાંકી ધરાશાયી થતાં ત્રણ વ્યક્તિનાં મોત થયા છે. ટાંકીની નીચે દટાયા 4 લોકોને બહાર કઢાયા છે.
તેજસ સ્કૂલ પાસેની સંસ્કૃતિ ફલેટ પાસે બનાવ બન્યો છે. પાણીની ટાંકી ધરાશયી થતાં બે લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 8થી 10 લોકો દબાયા હોવાની આશંકા છે. તમામ ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કલેકટર વિક્રાંત પાંડેએ Vtv સાતે વાત કરતાં જણાવ્યું.
અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશયી થવાના મામલે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. શહેરના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશયી થવાની દૂર્ઘટના સામે આવી છે. જેમાં બે લોકોનાં મોત નિપજ્યાં છે.
આ પાણીની ટાંકી 17 વર્ષ જૂની હોવાનું બહાર આવ્યું છે. આ પાણીની ટીંકી હાલત ઘણી જર્જરિત થઇ ગઇ હતી. સ્થાનિક લોકો દ્વારા બોપલ નગરપાલિકામાં આ અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા.
ગૃહમંત્રી અમિત શાહે ટાંકી ધરાશાયી થવા મામલે કલેકટર સાથે કરી વાતચીત
અમદાવાદના બોપલ વિસ્તારમાં ટાંકી ધરાશાયી થતાં 3 લોકોના મોત થયા છે. આ મામલે ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના કલેક્ટર સાથે ટેલિફોનિક વાત કરી હતી. ટેલિફોનિક વાતચીતમાં અમિત શાહે કલેક્ટર પાસેથી માહિતી મેળવી હતી.
અમિત શાહે મૃતકો પર સંવેદના દર્શાવી હતી. સ્થાનિક પ્રશાસનને ઈજાગ્રસ્તોની યોગ્ય સારવાર કરવા માટે સૂચના આપી છે. આ સાથે જ મૃતકના પરિવારજનોને મદદ કરવા પણ પ્રશાસનને સૂચના આપી છે. બોપલ અમિત શાહનો મત વિસ્તાર છે. હવે તેમના મત વિસ્તારમાં ટાંકી ધરાશાયી થતાં તેમને કલેક્ટર સાથે વાત કરીને લોકોને સારવાર મળે તેવી સૂચના આપી છે.
બોપલ ઘટના પર અમદાવાદના કલેકટર વિક્રાંત પાંડેનું નિવેદન
અમદાવાદના કલેકટ વિક્રાંત પાંડએ શહેરના બોપલ વિસ્તારમાં ધરાશાયી થયેલી પાણીની ટાંકી પર નિવેદન આપતાં કહ્યું કે જવાબદારો સામે કાયદેસરના પગલ લેવામાં આવશે. કલેકટરે કહ્યું કે પાણીની ટાંકી જમીન બેસ જવાથી પડી છે. આ અંગે તપાસ કમિટિને તપાસ સોંપવામાં આવી છે.
સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કાયદેસરના પગલા લેવામાં આવશે. જો કે સ્થાનિક લોકોએ જર્જરિત ટાંકીને લઇને નગરપાલિકામાં રજૂઆત કરી હોવાનું જણાવામાં આવતાં કલેકટર વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે ટાંકીને લઇન ફરિયાદ મળી હતી કે નહીં તે તપાસ કરવામાં આવશે.
વીટીવી ગુજરાતની જનતાને અપીલ, જર્જરિત ટાંકીને લઇને તુરંત સ્થાનિક તંત્રને રજૂઆત કરો
વીટીવી ગુજરાતની જનતાને અપીલ કરે છે. તમારા વિસ્તારમાં જર્જરિત પાણીની ટાંકી હોય તો જર્જરિત ટાંકીને લઇ તુરંત સ્થાનિક તંત્રને રજૂઆત કરે. જો સ્થાનિક તંત્ર રજૂઆત ન સાંભળે તો કલેક્ટરને રજૂઆત કરો. તમારી રજૂઆત કોઇ તંત્ર ન સાંભળે તો વીટીવી તમારી સાથે છે. વીટીવી તમારી રજૂઆત તંત્ર સુધી પહોંચાડશે. આપની જાગૃતતા જ મોતની ટાંકીઓથી તમને બચાવી શકશે.