અમદાવાદમાં ખુદ પોલીસ અન હોમગાર્ડ સુરક્ષીત નથી ત્યારે આમ જનતાની તો વાત જ શી કરવી. શહેરમાં પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ ઉપર હૂમલો થયાની ઘટના સામે આવી છે જેમાં હોમગાર્ડના જવાનનું મોત થવાને કારણે ચકચાર મચી ગઈ હતી. બુટલેગરો બેખોફ બનીને સરેઆમ હૂમલો કરે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજ્યમાં કેવી છે? તેના પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં ફરી એક વાર પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડના જવાન પર હુમલો થયાની ઘટના સામે આવી છે. હુમલાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે.આ ઘટના મોડીસાંજે બની હતી જેમાં એક હોમગાર્ડ જવાનનું મોત થયું છે. જ્યારે એક પોલીસ કોન્સ્ટેબલ સારવાર હેઠળ છે. આરોપી સુનીલ ઉર્ફે મચ્છી બુટલેગર સામેથી પોલીસ સામે હાજર થઈ ગયો છે.
હાટકેશ્વર પોલીસ ચોકી પાસે હૂમલો
હાટકેશ્વર પોલીસ ચોકી પાસે બુટલેગરોએ છરીથી હૂમલો કર્યો હતો. આ હુમલા બાદ બન્નેને તાત્કાલિક એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તબીબો દ્વારા હોમગાર્ડને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
પોલીસની કામગીરી પર સવાલો
મૃતક હોમગાર્ડ જવાનનું નામ રવિ પટેલ હોવાનું સામે આવ્યું છે. જો.કે સમગ્ર ઘટનામાં હાલ તો પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપીની ધરપકડ કરી તપાસનો ધમધમાટ વધાર્યો છે. પરંતુ આ ઘટના બાદ પોલીસની કામગીરી પર સવાલો ઉઠેયા છે
શું પોલીસ અને બુટલેગરો વચ્ચે છે સાંઠગાંઠ
પૈસાની લેતી દેતીને મામલે બુટલેગરો અને પોલીસ વચ્ચે ઝઘડો થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ જવાનો દ્વ્રારા પૈસા ઉઘરાવવા ગયા હતા અને આ ઝઘડો થયો હતો જેમાં બુટલેગર સુનીલ અને તેના સાગરીતોએ આ હોમગાર્ડ જવાન અને પોલીસ જવાન ઉપર હૂમલો કરી દીધો હતો. જેમાં હોમગાર્ડ જવાનું મોત થયું છે જ્યારે પોલીસ જવાનની હાલત ગંભીર છે.