ભારતમાં 10 જાન્યુઆરીથી કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત બાદ હવે બીજો ડોઝ લીધાનાં 9 મહિના સુધીમાં કોમોર્બીડિટી ધરાવતાં અને 60 વર્ષથી ઉપરના લોકોને BOOSTER DOSE મળશે.
ભારતમાં 10 જાન્યુઆરીથી કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવી હતી. જેને પ્રિકોશન ડોઝ કહેવામાં આવ્યો હતો. શરૂઆતમાં આ વેક્સિનનો ત્રીજો ડોઝ ફ્રંટલાઈન વર્કર્સ, હેલ્થકેર વર્કર્સ અને ગંભીર બીમારી ધરાવતા અને 60 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે.
39 અઠવાડિયાનો ગેપ
જો તમારી ઉંમર 60 વર્ષથી વધારે હોય અને તમે વેક્સિનના બંને ડોઝ લીધા હોય તો બીજો ડોઝ લીધના 9 મહિનાના અંતર બાદ તમને પ્રિકોશન ડોઝ મળી શકશે તેવું કોવિન ના સીઇઓ ડો. આર. એસ. શર્માએ જણાવ્યું હતું
अगर आप 60 वर्ष के हैं और दोनों डोज़ ले चूके हैं तो दूसरी डोज़ और जिस दिन आप रजिस्टर कर रहे हैं उसके बीच का अंतर 9 महीने (39 सप्ताह) से अधिक है तो आप योग्य हैं: 'Precaution Dose' पर कोविन के मुख्य चिकित्सक डॉ. आर.एस शर्मा pic.twitter.com/plCOOS8CVP
ત્યાર બાદ ઘણા સવાલ ઉઠયા હતા કે વેક્સિન કેટલા અંતરે લઈ શકાય અને ત્રીજો ડોઝ લેવાની જરૂર કેટલી? આવા આઠ સવાલોના જવાબ આ રહ્યા. આજે COWIN ના CEO ડો. આર. એસ. શર્મા એ આજે કહ્યું હતું કે તેઓને પૂછવામાં આવશે કે શું તેઓને કોઈ કોમોર્બીડિટી છે કે નહીં. જો તેઓ ડોક્ટરે આપેલું સર્ટિફિકેટ બતાવશે તો જ તેઓને વેક્સિન મળશે.
When you will register, it will ask whether you have any comorbidities or not. If you say yes, you will be able to book and have to show the comorbidities certificate from registered doctor at the vaccination centre and then you can get jabs: Dr RS Sharma, CoWIN platform Chief pic.twitter.com/OkekSNaYrC
ભારતમાં બુસ્ટર ડોઝ કોને અપાશે?
ભરતમાં હાલ પ્રિકોશનરી ડોઝ ફ્રંટલાઈન વર્કર્સ, હેલ્થકેર વર્કર્સ અને ગંભીર બીમારી ધરાવતા અને 60 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે. જેમ પહેલા બે ડોઝ લાગ્યા છે એ જ રીતે આ ડોઝ પણ આપવામાં આવશે. એની કોઈ અલગ રીત નથી.
કેટલા લોકોને મળશે બુસ્ટર ડોઝ?
કોરોના સાથે સીધી લડાઈ લડી રહેલા ફ્રંટલાઈન વર્કર્સ અને હેલ્થકેર વર્કર્સને પ્રિકોશનરરી ડોઝ મળશે જેમની સંખ્યા આશરે 3 કરોડ જેટલી છે.
60 વર્ષથી ઉપરના વૃદ્ધો કે જેમને કોઈ ગંભીર બીમારી છે તેઓને ડોક્ટરની સલાહ મુજબ વેક્સિનનો ત્રીજો ડોઝ મળશે. જો કે તેમના માટે આ વૈકલ્પિક સુવિધા છે.
જો કોઈ બીમારી ન હોય તો?
જો કોઈ ગંભીર બીમારી ન હોય તો 60 વર્ષથી ઉપરના લોકોને પણ બુસ્ટર ડોઝ નહીં મળે.
નેશનલ હેલ્થ ઓથોરીટીના સીઇઓ ડો. આર એસ શર્માએ ન્યૂઝ એજન્સીએ કહ્યું હતું કે પ્રિકોશનરી ડોઝ માટે 'કોમોરબીડિટી સર્ટિફિકેટ' જરૂરી હશે. જો તમને ડાયાબિટીસ, કેન્સર, શ્વાસ લેવામાં તકલીફ અને હ્રદયના રોગો જેવી ગંભીર બીમારી હોય તો જ તમને ત્રીજો ડોઝ મળશે.
બુસ્ટર ડોઝનું સર્ટિફિકેટ મળશે?
હા. જે રીતે પ્રથમ બે ડોઝ પર વેક્સિન સર્ટિફિકેટ મળ્યું હતું એ જ રીતે ત્રીજા બુસ્ટર ડોઝનો સર્ટિફિકેટ પણ મળશે એવું ડો. અર એસ શર્માએ જણાવ્યું હતું.
બુસ્ટર ડોઝના નિર્ણય પાછળનું કારણ
દુનિયાભરના વૈજ્ઞાનિકોએ ચેતવી દીધા છે કે કોરોનાની વેક્સિનથી બનેલી ઇમ્યુનિટી થોડા સમય પછી ઓછી થઈ જાય છે. એવામાં વેક્સિનના બુસ્ટર ડોઝની જરૂર બધાંને પડી શકે છે. કોરોનાનો નવો ઓમિક્રોન વેરિયન્ટ વધારે શક્તિશાળી હોવાથી તેની જરૂર વધી ગઈ હતી. હવે નવો વેરિયન્ટ વેકસીનેટેડ લોકોને પણ અસર કરી રહ્યો છે એટલે ફ્રન્ટ લાઇન વર્કર્સ અને વૃદ્ધોને બુસ્ટર ડોઝની જરૂર જણાઈ રહી છે. માટે સરકારે આ નિણર્ય લેવો પડ્યો હતો.
860 વર્ષથી ઓછી ઉંમરના અને ગંભીર બીમારી હોય તો?
જો તમે 60 વર્ષથી ઓછી ઉંમરના હોવ પણ તમે કોઈ ગંભીર બીમારીથી પીડાતા હોવ તો પણ તમને વેક્સિનનો બુસ્ટર ડોઝ નહીં મળે.