PM મોદીએ ગઈકાલે વૃદ્ધો અને હેલ્થ કેર અને ફ્રન્ટ લાઇન વર્કર્સ માટે Booster doseની જાહેરાત કરી હતી. ત્યારે બુસ્ટર ડોઝ વિષે આ મહત્વની માહિતી તમારા માટે જરૂરી
ગઈકાલે રાત્રે PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં વેક્સિનના બુસ્ટર ડોઝ અંગે જાહેરાત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરની રાત્રે કેર અને ફ્રન્ટલાઈન વર્કર્સને 10 જાન્યુઆરીથી વેક્સિનના બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી હતી. સાથે તેમણે કોમોરબીડિટી ધરાવતા વૃદ્ધોને પણ ડોક્ટરની સલાહ બાદ પ્રિકોશનરી ડોઝ આપવાની જાહેરાત કરી હતી.
કેટલુ અંતર રાખી શકાય?
આ બુસ્ટર ડોઝ અથવા પ્રિકોશનરી ડોઝ કેટલા સમયના ગેપ બાદ આપી શકાય તે વિષે હજુ મંથન ચાલી રહ્યું છે. જો કે કેટલાક્ સૂત્રોએ જણાવ્યા અનુસાર વેક્સિનના બીજા ડોઝ અને બુસ્ટર ડોઝ વચ્ચે 9 થી 12 જેટલા મહિનાનું અંતર રાખવામાં આવે તેવી વાત ચાલી રહી છે.
સૂક્ષ્મ સ્તરે કામકાજ શરૂ
સૂત્રોએ જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના વિરોધી વેક્સિન બનાવતી કંપનીઓ કોવિશિલ્ડ અને કોવેક્સીન હાલ ઉપયોગમાં લેવામાં આવતા ડોઝ અને બુસ્ટર ડોઝ વચ્ચે કેટલું અંતર રાખવું એ બાબત પર ઊંડું રિસર્ચ કરી રહી છે અને ટૂંક સમયમાં અંતિમ નિણર્ય પર આવી જશે. પણ રિપોર્ટસનું માનીએ તો કોરોનાના બીજા ડોઝ અને બુસ્ટર ડોઝ વચ્ચે 9 થી 12 મહિનાનું અંતર રાખવું જરૂરી સમજવામાં આવી રહ્યું છે.
કોને આપી શકાય?
સામાન્ય રીતે 16 વરસથી ઉપરના તમામને બુસ્ટર ડોઝ આપી શકાય છે પણ ભારતમાં હાલ પૂરતી આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેની જાહેરાત પીએમ મોદી દ્વારા કરવામાં આવી હતી.
બુસ્ટર ડોઝમાં કઈ વેક્સિન મળશે?
ભારતમાં બુસ્ટર ડોઝમાં કઈ વેક્સિન આપવામાં આવશે એ હજુ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું. એમરીકન CDC ના જણાવ્યા અનુસાર અપરુવ થયેલી કોઈ પણ વેક્સિન અમેરિકનોને લેવા માટે પરવાનગી અપાઈ હતી પરંતુ ટીનેજર્સ માટે તેમણે જે લીધી હોય એ જ વેક્સની બુસ્ટર ડોઝ તરીકે લેવાની સલાહ આપવામાં આવી હતી.
ઓમીક્રોનની એન્ટ્રી બાદ 10 માંથી સંક્રમીતોએ બંને ડોઝ વેક્સિનના લઈ લીધા હતા છતાં પણ તેઓ સંક્રમિત થયા હતા.
પીએમ મોદીએ વેક્સીનેશનનો સમગ્ર રોડમેપ રજૂ કર્યો છે. તેમણે જાહેરાત કરી કે આગમચેતીની દ્રષ્ટિથી સરકારે હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સિનનો બુસ્ટર ડોઝ(પ્રીકૉશન ડોઝ) આપવાનો નિર્ણય લીધો છે. જેની શરૂઆત 2022માં 10 જાન્યુઆરી સોમવારના દિવસથી કરવામાં આવશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આપણા સૌનો અનુભવ છે કે જે કોરોના વોરિયર્સ છે, હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ છે, આ લડાઈમાં દેશને સુરક્ષિત રાખવામાં તેમનું મોટું યોગદાન છે. તેઓ આજે પણ કોરોનાના દર્દીઓની સેવામાં પોતાના બહુ સમય વિતાવે છે.
10 જાન્યુઆરીથી કો-મૉરબિડિટીવાળા નાગરિકોને પણ અપાશે પ્રીકૉશન ડોઝ
પીએમ મોદીએ કહ્યું કે, 60 વર્ષથી ઉપરની ઉંમરના કો-મૉરબિડિટીવાળા નાગરિકોને તેમના ડૉક્ટરની સલાહ પર વેક્સિનનો પ્રિકૉશન ડોઝનો વિકલ્પ ઉપલબ્ધ થશે. આ ઑપ્શન પણ 10 જાન્યુઆરીથી જ મળશે.
3 જાન્યુઆરીથી બાળકોને વેક્સિન આપવાની થશે શરૂઆત
પ્રધાનમંત્રીએ બાળકોના વેક્સીનેશનનું પણ એલાન કર્યું છે. 3 જાન્યુઆરીથી 15 વર્ષથી 18 વર્ષની ઉંમર વચ્ચેના બાળકોનું વેક્સીનેશન શરૂ થશે. પીએમ મોદીએ કહ્યું કે, 15 વર્ષથી 18 વર્ષની ઉંમર વચ્ચે જે બાળકો છે, તેમના માટે હવે દેશમાં વેક્સીનેશનની શરૂઆત થશે. આગામી વર્ષ એટલે 2022માં 3 જાન્યુઆરીએ સોમવારના દિવસથી આની શરૂઆત થઇ જશે.
દેશના 61 ટકા લોકોને વેક્સિનના બન્ને ડોઝ લાગી ગયા
PM મોદીનુ દેશને સંબોધન કરતા કહ્યું કે વિશ્વમાં અને ભારતમાં ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યું છે. નવા વર્ષની ઉજવણીમાં લોકો કોવિડના નિયમો ભુલી રહ્યા છે. ઉજવણીની સાથે લોકોએ સચેત રહેવું જોઈએ. દેશમાં 3 હજારથી PSA ઓક્સિજન પ્લાન્ટ અને 1 લાખથી વધુ ICU બેડની સુવિધા ઉપલબ્ધ છે. ભારતમાં વેક્સિનના 141 કરોડના ડોઝ લગાવી દેવામાં આવ્યા છે. દેશમાં 61 ટકા લોકોને બન્ને ડોઝ અને 90 ટકા લોકોને એક ડોઝ લગાવી ચુક્યા છે.