ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળનાં વિવાદનો ભોગ વિદ્યાર્થીઓને બનવાનો વારો આવવાનો છે. કારણ કે મોંઘા ભાવનાં કાગળ ખરીદવામાં ટેન્ડર પ્રક્રિયા અટકી છે. ત્યારે ટેન્ડર પ્રક્રિયા અટકવાથી વિદ્યાર્થીઓને પુસ્તકો ક્યારે મળશે તે મોટો સવાલ છે.
પાઠ્ય પુસ્તક મંડળના વિવાદનો ભોગ વિદ્યાર્થીઓ બનશે
મોંઘા ભાવના કાગળ ખરીદવામાં ટેન્ડર પ્રક્રિયા અટકી
ટેન્ડર પ્રક્રિયા અટકવાથી વિદ્યાર્થીઓને પુસ્તક ક્યારે મળશે તે મોટો સવાલ
વિદ્યાર્થીઓએ આગામી શૈક્ષણિક સત્રમાં પાઠ્યપુસ્તક માટે જોવી પડશે રાહ
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ વિદ્યાર્થીઓનાં ભણવા માટેનાં પાઠ્ય પુસ્તકોની ટેન્ડર પ્રક્રિયા અટકવાથી વિદ્યાર્થીઓને આ વર્ષે પુસ્તકો મોડા મળવાની શક્યતા છે. ત્યારે મોંઘા ભાવનાં કાગળ ખરીદવામાં ટેન્ડર પ્રક્રિયા અટકી છે. જેનો ભોગ વિદ્યાર્થીએનો બનવાનો વારો આવી શકે છે. ટેન્ડર પ્રક્રિયા અટકવાથી વિદ્યાર્થીઓને પુસ્તક ક્યારે મળશે તે એક મોટો સવાલ ઉભો થવા પામ્યો છે. વિદ્યાર્થીઓએ આગામી શૈક્ષણિક સત્રમાં પાઠ્યપુસ્તક માટે રાહ જોવી પડશે. પાઠ્ય પુસ્તક મંડળનાં વિવાદને લઈ હજુ સુધી કાગળની ખરીદી પણ કરવામાં આવી નથી. 400 ટન કાગળનાં પુસ્તકો 40 દિવસમાં છાપવા અશક્ય છે. દર વર્ષે પુસ્તકો માટે જાન્યુઆરીમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તેમજ દર વર્ષે 15 એપ્રિલથી પુસ્તકોનું વેચાણ શરૂ થાય છે. આ વર્ષે હજુ સુધી કાગળની ખરીદી પણ કરવામાં આવી નથી.
હું નથી માનતો કે 5 મી જૂને વિદ્યાર્થીઓનાં હાથમાં પુસ્તક હશેઃ પાઠ્ય પુસ્તક મંડળનાં હોદ્દેદાર
આ બાબતે પાઠ્ય પુસ્તક મંડળનાં હોદ્દેદારે જણાવ્યું હતું કે આ પાઠ્ય પુસ્તક માટે જે કાગળ ખરીદવાની બાબત છે. અને એનો વિવાદ ચાલે છે. ત્યારે વિવાદ તો ઘણા વખતથી ચાલી રહ્યો છે. હવે જો એના ઉપર કોઈ નિર્ણય ન લેવામાં આવે અને નિર્ણય લેવામાં આવે ત્યારે પેલો કોન્ટ્રાક્ટર ક્યારે કાગળો પ્રિન્ટીંગ પ્રેસવાળાને સપ્લાય કરશે. એ પહેલો સવાલ. બીજો સવાલ દિવસ રાત બીજો પ્રિન્ટીંગ પ્રેસવાળો પોતાનો પ્રેસ ચલાવે કારણ કે આ તો લાખ્ખોનાં હિસાબે પુસ્તકો છાપવાનાં. પાછા ત્રણ મીડિયમ ઈગ્લીશ, હિન્દી અને ગુજરાતી આ મેજર છે. એ સિવાય મરાઠીમાં પણ છાપવા પડે છે. તો આજે એ સંજોગોની અંદર આ બધા પાઠ્ય પુસ્તકો છાપવા અને છાપ્યા પછી એને જીલ્લા કક્ષાએ અને પછી તાલુકા કક્ષાએ પહોંચાડવા એ બઉ મોટી વાત છે. એટલે મને નથી લાગતું કે પાઠ્ય પુસ્તકો 5 મી જૂને વિદ્યાર્થીઓનાં હાથમાં હશે.