કેન્દ્ર સરકારે લાંબા સમયથી સમાજના અંતિમ પાયદાન સુધી ડિજીટલ અને નાણકીય સેવાઓ પહોંચાડવાની દિશામાં કામ કરી રહી છે. આ દિશામાં સરકારે કેટલાય નવા સુધારા વધારા કરી રહ્યું છે.
રાશનની દુકાનેથી મળવા લાગશે તમામ સુવિધા
ઓનલાઈન કામ માટે બહાર જવાની જરૂર નથી
ગામડામાં જ મળી રહેશે આ તમામ સુવિધાઓ
કેન્દ્ર સરકારે લાંબા સમયથી સમાજના અંતિમ પાયદાન સુધી ડિજીટલ અને નાણકીય સેવાઓ પહોંચાડવાની દિશામાં કામ કરી રહી છે. આ અંતર્ગત ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ખાતાના મંત્રાલયે રાશનની દુકાનો અથવા ફેયર પ્રાઈસ શોપ (વ્યાજબી ભાવની દુકાન) દ્વારા દેશના ખૂણે ખૂણે સુધી ડિજીટલ અને નાણાકીય સેવાઓ પહોંચાડવાને લઈને નવી યોજના પર કામ કરી રહ્યું છે.
થઈ રહ્યું ડિજીટલાઈઝેશનનું કામ
મંત્રાલય આગામી એક વર્ષમાં સમગ્ર દેશમાં 10 હજારથી વધારે સામાન્ય સેવા કેન્દ્રો (CSC)ને FPS સાથે જોડવાની યોજના બનાવી રહ્યું છે. હાલમાં લગભગ 8 હજાર જેટલા CSC રાશનની દુકાનો સાથે મળીને કામ કરી રહ્યા છે. આ સંબંધમાં માહિતી ખાતાના મંત્રાલય અને ખાદ્ય તથા સાર્વજનિત વિતરણ વિભાગની વચ્ચે કરારમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પગલાંથી રાશનની દુકાનનું સંચાલન કરનારાને કમાણીનો વધારે મોકો મળશે. સાથે જ સામાન્ય લોકોને નજીકમાં જ નાણાકીય સેવાઓ મળી રહેશે. હાલમાં ઉત્તરાખંડ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન અને તમિલનાડૂમાં રાશનની દુકાનો નાણાકીય સેવાઓ આપવામાં આવી રહી છે.
આટલી સેવાઓ મળે છે
હાલમાં દેશમાં 3 લાખથી વધારે CSC કામ કરી રહ્યા છે. આ CSC લોકોને ઈલેક્ટ્રોનિક સેવાઓ આપે છે. તેમાં આધાર અને પાન કાર્ડ રજીસ્ટ્રેશન, રેલ ટિકિટ બુકીંગ, ગીત ડાઉનલોડ કરવા, બૈંક ખાતાનું બેલેન્સની જાણકારી અને ગ્રામિણ વિસ્તારમાં રહેતા લોકો માટે ચાલી રહેલી અલગ અલગ યોજનાઓ જાણકારી જોડાયેલી છે. ડિજીટલ ઈંડિયા કાર્યક્રમ અંતર્ગત મંત્રાલયની આ યોજના CSCના કવરેજને વધારે 6 લાખ ગામડા સુધી પહોંચવાની છે.
5.34 રાશનની દુકાનમાં લોકોને મળે છે અનાજ
દેશમાં રાશનની લગભગ 5.34 લાખ દુકાનો હાલમાં કાર્યરત છે. આ દુકાનો દ્વારા દર વર્ષે 80 કરોડથી વધારે લોકોને 60થી 70 મિલિયન ટન અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એક સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર એફપીએસ પર દરેક મહિને મોટી સંખ્યામાં લોકો રાશન લે છે.ત્યારે આવા સમયે આ દુકાન પર વધારે આવક ઊભી કરવાની ફરમાઈશ આવી રહી છે.
નાણાકીય સેવાઓ વાળા એફપીએસને મળશે કલર કોડ
ખાદ્ય મંત્રાલયે નાણાકીય સેવાઓ આપનારા એફપીએસને અલગ કલર કોડ આપવાની યોજના પર કામ કરી રહ્યું છે. તેનાથી આ એફપીએસની સાર્વજનિક સેવાઓ ડિલિવરી પોઈન્ટથી અલગ ઓળખાશે. સાથે જ ખાદ્ય મંત્રાલય, નાણા મંત્રાલયની નાણાકીય સેવા વિભાગ અને ભારતીય સ્ટેટ બેંકના સંયુક્ત ઉપક્રમથી એક યોજનાને મંજૂરી આપવામા આવી છે. આ યોજના અંતર્ગત એફપીએસ ડીલર પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. આ લોન દ્વારા એફપીએસ ડીલર જરૂરી ખાદ્ય અને બિન ખાદ્ય વસ્તુઓના વેચાણ માટે ભવનનું નિર્માણ કરી શકશે.
એફપીએસના કામમાં થઈ રહ્યો સુધાર
સરકાર એફપીએસના કામકાજમાં સુધારાને લઈને કેટલાય ઉપયોગ અજમાવી રહ્યા છે.જે અંતર્ગત રાશન કાર્ડને ડિજિટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં આવી રહ્યું છે. સાથે જ એફપીએસ પર ઈલેક્ટ્રોનિક્સ પોઈન્ટ ઓફ સેલ મશીનો સાથે જોડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ 5.34 લાખ એફપીએસમાંથી 95 ટકા ઈપીઓએસ મશીનો સાથે જોડવામાં આવી ચુક્યા છે.