કોરોનાકાળના બાદ લગ્નની સીઝન માટેની તૈયારીઓ ધામધૂમ પૂર્વક ચાલી રહી છે, બજારોમાં રોનક પાછી વળી છે ત્યારે આ સિઝન દરમિયાન 20 લાખથી વધું યુગલો લગ્ન સંબંધમાં બંધાશે
બે વર્ષ પછી ફરી વાગશે ઢોલ-શરણાઈ
31 જાન્યુઆરી સુધી થઈ ગયાં છે બૂકિંગ
20 લાખથી વધું યુગલો લગ્ન સંબંધમાં બંધાશે
આપણે જાણીએ છીએ કે, કોરોનાકાળના 20 મહિનામાં લગ્નોથી લઇ જાહેર કાર્યક્રમો આપણી પરંપરા પ્રમાણે નહોતા થઈ શક્યા. પરંતુ હવે કોરોનાની સ્થિતિ સામાન્ય બનતા સરકારે નિયંત્રણો હળવા કર્યા છે, તેવામાં 14 નવેમ્બરથી લગ્નની સીઝન શરૂ થઈ રહી છે અને આ લગ્નની સીઝન માટે મોટા પ્રમાણમાં બુકિંગ થઇ ચુક્યા છે ઉત્સવોની ઉજણી બાદ હવે લગ્નગાળો પણ લોકો માટે શુભ સંકેત લઈને આવ્યો છે.
આ સિઝનમાં 20 લાખથી વધું યુગલો લગ્ન સંબંધમાં બંધાશે
મહત્વનું છે બે વર્ષથી કોરોના સંક્રમણને લીધે જહાજોલીથી લગ્નો થઈ શકયા નથી, લગ્નોની સિઝનમાં પણ બહુ સાદગીથી લગ્નો કર્યા છે. પરતું હવે કોરોના સંક્રમણનું પ્રમાણ ઓછું થયુ છે રાજ્યમાં કોરોના કેસ પણ ઓછા આવી રહ્યા છે ત્યારે સરકારે પણ લગાવેલા પ્રતિબંધોમાં છુટછાટ આપી છે. લગ્નની ખરીદી માટે બજારોમાં રોનક પાછી વળી છે. ત્યારે બે વર્ષ પછી ફરી ઢોલ-શરણાઈના સૂર સંભળાશે જેમાં ધામધૂમથી લગ્નો યોજાઈ તેવું લાગી રહ્યું છે.
હાલ મેરેજ માટે 31 જાન્યુઆરી સુધી થઈ ગયાં છે બૂકિંગ
હાલ મેરેજ માટે મોટા ભાગે પાર્ટી પ્લોટ અને મેરેજ હોલ બૂક કરી દેવામાં આવ્યા છે. તેમજ 31 જાન્યુઆરી સુધીના તમામ પાર્ટી પ્લોટ અને મેરેજ હોલ બુક થઈ ગયા છે. એક અંદાજ મુજબ આ સિઝનમાં 20 લાખથી વધુ યુગલો લગ્નના સંબંધમાં બંધાશે તેવું મળેલા અહેવાલો પરથી લાગી રહ્યું છે. રાજ્યમાં લગ્નોની સિઝન ચાલી રહી છે અને બજારોમાં રોનક પણ પાછી વળી છે ત્યારે સાવધાની રાખવી જરૂરી બને છે કેમ કે કોરોના હજુ પણ યથાવત છે રાજ્યમાં હજુ પણ કોરોનાના એક્ટિવ કેસ સામે આવી રહ્યા છે, જેથી માસ્ક અને સોશિયલ ડિસ્ટસિંગના નિયમોનું પાલન થાય તે ખુબ જરૂરી છે.