ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે વર્લ્ડ કપ 2019ની આજે પહેલી સેમીફાઇનલ રમાશે જ્યારે બીજી સેમીફાઇનલમાં મેજબાન ઇંગ્લેન્ડ અને 5 વખત જીતેલી ઓસ્ટ્રેલિયાની મેચ રમાશે. સટ્ટા બજારમાં ભારતને વર્લ્ડ કપ જીતે એવો પ્રબળ દાવેદાર જણાવવામાં આવ્યું છે.
2019 વર્લ્ડ કપ માટે આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિફાઈનલ મેચ રમાનાર છે. ત્યારે સટ્ટા માર્કેટમાં પણ ઈન્ડિયા હોટ ફેવરિટ છે. બન્ને ટીમ પર આજે 1 હજાર કરોડનો સટ્ટો રમાઈ શકે છે. તેમાં પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં 500 કરોડનો સટ્ટો રમાય તેવી સંભાવના છે. ન્યૂઝીલેન્ડ 80 પૈસાના ભાવ સાથે ફેવરિટ છે.
તો બીજી સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડ ફેવરિટ છે. બુકીઓના મતે ફાઈનલમાં ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે મુકાબલો જોવા મળશે. જ્યારે માત્ર ચોકા અને છક્કા પર જ 300 કરોડનો સટ્ટો રમાવાની શક્યતા છે.
વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમ લીગ મેચમાં 15 અંકની સાથે ટૉપ પર રહી હતી જ્યારે ઓસ્ટ્રેલિયા 14 અંકની સાથે બીજા સ્થાને રહી હતી. ઇંગ્લેન્ડ 12 અને જ્યારે ન્યૂઝીલેન્ડ 11 એ ચોથુ સ્થાન પ્રાપ્ત કરીને સેમીફાઇનલમાં જગ્યા બનાવી.
શું હોય છે ભાવનો મતલબ
જો કોઇ 13/8 ના ભાવ પર સટ્ટો લગાવે છે તો એનો અર્થ એ છે કે એને જેટલી પર રકમ સટ્ટામાં લગાવી છે જીતવા પર એની રકમને 13 થી ગુણાકાર કરીને પછી એને 8 વડે ભાગવામાં આવશે અને પછી જે રકમ આવશે એ વિજેતાને મળશે.