દૂધમાં સાકર ભળે તે રીતે પારસી સમાજ ભારતમાં ભળી ગયો છે. તેરસો કરતાં વધારે વર્ષોથી ભારતમાં વસતા આ સમાજે દેશમાં શૈક્ષણિક, ઔધોગિક અને મેડિકલક્ષેત્રે ઉત્કૃષ્ઠ યોગદાન આપ્યું છે.
સાયક્લિંગ દ્વારા નવો કીર્તિમાન
કાશ્મીરથી કન્યાકુમારી સાયકલ પર
17 દિવસમાં કાપ્યું 3777 કિમી અંતર
પારસી સમાજે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પોતાની ખાસ ઓળખ ઊભી કરી છે. ત્યારે હવે આ સમાજમાંથી જ આવતા નવસારીના બોમી જાગીરદારનામના યુવાને સાયલિંગ દ્વારા નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
પારસીઓના આગમનનો ઇતિહાસ સાચવીને બેઠો છે નવસારી જિલ્લો
નવસારી જિલ્લો પારસીઓના આગમનના ઈતિહાસ અને નિવાસસ્થાન માટે જાણીતો છે. આ એ જ ધરતી છે જેના સંજાણબંદરે આજથી સાડી તેરસો વર્ષ પહેલા પારસીઓ ભારતમાં આવ્યા હતા અને અહીં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા. ભારત આગમના આટલા વર્ષોમાં આ શાંત, પ્રેમાળ અને મિલનસાર પ્રજાએ ભારતમાં પોતાના રિવાજો અને સંસ્કારોથી આગવી ઓળખ ઊભી કરી છે.
ઔધોગિક અને ચિકીત્સા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન
પારસી સમાજે દેશમાં ઔધોગિક અને ચિકીત્સા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પારસી સમાજએ દેશના રહીને ઉદ્યોગ જગતમાં કાઠું કાઢ્યું અને જમશેદજી ટાટા ઉદ્યોગ જગતના ભીષ્મપિતા તરીકે ઓળખાય છે. તો હિંદના દાદા તરીકનું બિરુદ દાદા નવરોજજીને મળ્યું છે. દાદાભાઈ નવરોજજી બ્રિટિશ પાર્લામેન્ટમાં પ્રથમ ભારતીય તરીકે ચૂંટાયા હતા.
બોમી જાગીરદારે ગુજરાતને વિશ્વફલક પર અપાવ્યું ગૌરવ
પારસી સમાજના આ ઐતિહાસિક યોગદાનમાં ફરી પાછું નવું છોગું ઉમેરાયું છે. આ વખતે પારસી સમાજની નવી પેઢીના યુવાન બોમી જાગીરદારે સાયલિંગ દ્વારા નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. બોમી જાગીરદારને સાયલિંગનો ઊંડો શોખ છે. સાયલિંગ પ્રત્યે પોતાના સાહસ અને સમર્પણથી બોમી જાગીરદારે ગુજરાતને પણ દુનિયામાં નવી ઓળખ અપાવી છે. બોમી જાગીરદારે સાયલિંગ દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો ત્રણહજાર સાતસો સત્યોતેર કિલોમીટરનો પ્રવાસ ખેડીને નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. બોમી જાગીરદારે માત્ર 17 દિવસમાં પોણા ચાર હજાર કિલોમીટર અંતર સાયકલ પ્રવાસથી પૂર્ણ કર્યુ છે.
સાયકલ પર 250 કિલોમીટરની રોજની સફર કરવી એ જાણે રમત વાત
આપને એ જાણીને નવાઈ લાગશે દેશભરમાંથી હમણાં જ પૂરાયા વરસાદી ખાડા ત્યાં ફરી વડોદરા મહાનગર પાલિકાએ ખોદ્યા ખાડા માટે આવેલા યુવાનો માંથી બોમી જાગીરદાર સૌથી વધારે વય ધરાવે છે. નવસારીની ટાટા બોયસ શાળાના 55 વર્ષીય આચાર્ય બોમી જાગીદાર ગજબની સ્ફૂર્તિ ધરાવે છે. આપણે બાઇક કે કારમાં સફર કરતી વેળાએ રોજ 250 કિલોમીટરની સફરમાં થાકી જતા હોઈએ છીએ પરંતુ આ બોમી જાગીરદાર માટે સાયકલ પર 250 કિલોમીટરની રોજની સફર કરવી એ જાણે રમત વાત છે. સાયલિંગ પ્રત્યેનો તેમનો એટલો જુસ્સો છે કે, થાપમાં ફ્રેક્ચર થઈ ગયું હોવા છતાં અને ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી હોવા છેતાં તેમણે સાયલિંગ શરૂ જ રાખ્યું છે.
રોજ સાયકલ પર ફરે છે 40 કિલોમીટર
બોમી જાગીદાર કાશ્મીરથી કન્યાકુમારીની યાત્રા કરી પોતાની સિદ્ધિને અહીં વિરામ આપવા માગતા નથી. તેમની સાયલિંગની પ્રેક્ટિસ રોજ ચાલુ જ રહે છે. સવારે 4 વાગ્યે ઊઠીને આ સાયકલિસ્ટ 40 કિલોમીટર સુધી રોજ સાયકલ ચલાવીને પોતાનો શોખ પૂરો કરે છે. તેમની આ નવા કીર્તિમાન બાદ તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.