બોમ્બે હાઈકોર્ટ દ્વારા સ્વ લેખક નગીનદાસ સંઘવીના પુસ્તક મહામાનવ શ્રીકૃષ્ણની નવી આવૃત્તિ પર રોક લગાવામાં આવી છે. પુસ્તક ફરી પ્રકાશીત થયું જેમા સહલેખિકા જ્યોત્સના તન્નાનું નામ શામેલ નથી જેના કારણે આ વિવાદ સર્જાયો છે.
કે. બુક્સ કંપની દ્વારા પુસ્તક ફરીથી પ્રકાશિત કરવામાં આવ્યું
સહલેખિકા જ્યોત્સના તન્નાનું નામ પુસ્તકમાં નથી શામેલ
ગુજરાતી પુસ્તક મહામાનવ શ્રીકૃષ્ણનો મામલો હવે બોમ્બે હાઈકોર્ટ પહોચ્યો છે. લેખક સ્વ. નગીનદાસ સંઘવીના પુસ્તકની નવી આવૃત્તિ પર રોક લગાવી દેવામાં આવી છે. આ પુસ્તકના પ્રકાશનને લઈને બે પ્રકાશકો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેમા આ વિવાદ હવે છેક બોમ્બે હાઈકોર્ટ સુધી પહોચી ચુક્યો છે. જેના કારણે પુસ્તક ઘણું ચર્ચામાં આવ્યું છે.
ફરી વખત પુસ્તક પ્રકાશિત થયું
પુસ્તક પ્રથમ આર.આર.શેઠ એન્ડ કંપનીએ પ્રકાશીત કર્યું હતું. પ્રથમ વખત તેમા સહલેખિકા તરીકે જ્યોત્સના તન્નાનું નામ હતું. પરંતું ફરીથી આ પુસ્તકને રાજકોટની કે. બુક્સ કંપની દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું. જેમા તેમણે જ્યોત્સના તન્નાનું નામ નથી લખ્યું. જેના કારણે સમગ્ર વિવાદ વકર્યો છે.
સમાધાન હજું નથી થયું
બીજી વખત કે. બુક્સ કંપની દ્વારા પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું તેમા સહલેખિકા જ્યોત્સના તન્નાનું નામ લખવામાં નથી આવ્યું. જેથી તેમણે બોમ્બે હાઈકોર્ટ માંથી સ્ટે ઓર્ડર મેળવ્યો. સમગ્ર મામલે હાલ કે. બુક્સ એન્ડ કંપની તેમજ જ્યોત્સના તન્ના વચ્ચે સમાધાન મુદ્દે ચર્ચાઓ ચાલી રહી છે. પરંતું હજું સમાધાન નથી થયું.
કે બુક્સ એન્ડ કંપનીએ પુસ્તકના રાઈટ્સ ખરીદ્યા હતા
ઉલ્લેખનીય છે કે નગીનદાસ સંઘવી પાસેથી લેખનના રાઈટ્સ કે બુક્સ એન્ડ કંપનીએ ખરીદ્યા હતા. પરંતુ જ્યારે તેમણે ફરી વખત પુસ્તક પ્રકાશીત કર્યું તેમા સહલેખિકા જ્યોત્સના તન્નાનું નામ ન લખવામાં આવ્યું. જેના કારણે આ સમગ્ર વિવાદ બોમ્બે હાઈકોર્ટ સુધી પહોચ્યો છે.