મહિલાએ પતિને વ્યભિચારી અને દારુડિયો ગણાવીને કરી હતી અરજી
કોર્ટે કહ્યું- આવું કહેવાના પુરાવો લાવો
કોર્ટે આપ્યો ચુકાદો- પુરાવા વગર પતિને વ્યભિચારી અને દારુડિયો ન ગણી શકાય
બોમ્બે હાઇકોર્ટે કહ્યું કે પતિને બદનામ કરવો અને આરોપોને સાબિત કર્યાં વિના તેને વ્યભિચારી કે દારુડિયો કહેવો ક્રૂરતા ગણાશે. પુણેના એક દંપતિના છૂટાછેડા મામલે ચુકાદો આપતાં બોમ્બે હાઈકોર્ટે આવી ટીપ્પણી કરી હતી.
મહિલા ફેમિલી કોર્ટના છૂટાછેડાના ચુકાદાને પડકાર્યો
જસ્ટિસ નીતિન જામદાર અને શર્મિલા દેશમુખની ડિવિઝન બેંચે 50 વર્ષીય મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દેતા 12 ઓક્ટોબરના રોજ આ આદેશ આપ્યો હતો. મહિલા અરજદારે નવેમ્બર ૨૦૦૫ ના પુણે ફેમિલી કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો.પોતાની અરજીમાં 50 વર્ષીય મહિલાએ પુણેની ફેમિલી કોર્ટના છૂટાછેડાને મંજૂરી આપવાના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો. મહિલાએ દલીલ કરી હતી કે તેના પતિ સાથે તેનો ઝઘડો થયો હતો કારણ કે તે ચરિત્રહીન અને દારૂડિયો હતો. પતિએ આપેલા ડિવોર્સને તે સ્વીકારતી નથી. પુણે ફેમિલી કોર્ટનો છૂટાછેડાને મંજૂરી આપવાનો નિર્ણય ખોટો નિર્ણય છે.
પતિને વ્યભિચારી કે દારુડિયો કહેવાના પુરાવા લાવો
બોમ્બે હાઈકોર્ટે પુણે ફેમિલી કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે, છૂટાછેડાની મંજૂરી આપવી એ યોગ્ય નિર્ણય છે. મહિલાના તેના પતિ પર લાગેલા આરોપો તથ્યો પર આધારિત નથી. પુરાવા વિના કોઈના પર ચરિત્રહીન અને આલ્કોહોલિક હોવાનો આરોપ લગાવવો એ બદનામી અને ક્રૂરતા સમાન છે.
સુનવણી દરમિયાન પુરુષનું થયું દેહાંત
હાઇકોર્ટમાં અપીલની સુનવણી દરમિયાન પુરુષનું મૃત્યુ થયું હતું જેના પછીથી તેમના કાનૂની વારદારને પ્રતિવાદીના રૂપમાં અરજીમાં નામ જોડાવા નિર્દેશ કરાયો હતો. મહિલાએ અપિલમાં દાવો કર્યો કે તેનો પતિ ઔરતખોર અને શરાબી હતો અને આ જ કારણોને લીધે તેને તેના વૈવાહિક અધિકારીઓથી વંચિત રહેવું પડ્યું.
શું છે સમગ્ર મામલો?
મહિલાનો પતિ રિટાયર્ડ આર્મી મેન હતો, મોતના થોડા સમય પહેલા બન્ને વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો. પતિના મોત બાદ કોર્ટે તેમના કાનૂની વારસદારને આ કેસમાં પ્રતિવાદી તરીકે સામેલ કરવાની મંજૂરી આપી હતી. મહિલાએ પોતાની અપીલમાં દાવો કર્યો હતો કે તેનો પતિ વ્યભિચારી અને દારૂડિયો છે, જેના કારણે તે તેના વૈવાહિક અધિકારોથી વંચિત છે. આ પછી હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે પત્નીએ પતિના ચારિત્ર્ય પર અયોગ્ય અને ખોટા આક્ષેપો કર્યા હતા જેનાથી સમાજમાં તેની પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું અને ક્રૂરતા સમાન છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં એ વાત પર ભાર મૂક્યો હતો કે મહિલાએ પોતાના નિવેદન સિવાય અન્ય આરોપોના સમર્થનમાં વિશ્વસનીય પુરાવા રજૂ કર્યા નથી.
હાઇકોર્ટની ખંડપીઠે આપ્યો આ જવાબ
પીઠએ કહ્યું કે પત્ની દ્વારા પતિના ચરિત્ર પર અનિચ્છનિય અને ખોટાં આરોપો લગાવવાના લીધે સમાજમાં પતિઓની ઇમેજને નુક્સાન પહોંચે છે અને આ ક્રૂરતાની શ્રેણીમાં આવે છે. હાઇકોર્ટે પોતાના આદેશમાં લખ્યું કે પત્નીએ પોતાના નિવેદન સિવાય કોઇ પુરાવાઓ જમા કરાવ્યાં નથી જેનાથી તેનો આરોપ સત્યાપિત થાય. પુરુષના વકીલે કોર્ટમાં કહ્યું કે અરજીકરનાર મહિલાએ ખોટાં અને માનહાનિકારક આરોપ લગાવ્યાં છે અને પોતાના પતિને માનસિક પીડા પહોંચાડી છે.