સંજય રાઇતની વગર કારણે ધરપકડ કરવામાં આવી હતી. આવું કહીને કોર્ટે EDની માંગને ફગાવી છે. કોર્ટે કહ્યું કે રાઉતની ધકપકડ કાયદેસર હતી તે કોર્ટમાં સાબિત કરો. આવતીકાલે આ વિષય પર હાઇકોર્ટમાં સુનાવણી થશે.
શિવસેનાના સાંસદ સંજય રાઉતને મળી જામીન
બોમ્બે હાઇકોર્ટે EDની માંગને ફગાવી
પાત્રા ચાલ જમીન કૌભાંડમાં કરવામાં આવી હતી ધરપકડ
શિવસેનાનાં સાંસદ સંજય રાઉત આજે સાંજે 7 વાગ્યે જેલની બહાર આવ્યાં. બોમ્બે હાઇકર્ટે પાત્રા ચાલ જમીન કૌભાંડ મુદે તેમની જામીન રોકવાની ઇડીની માંગને નામંજૂર કરી છે. સાંસદ રાઉતનાં વકીલે તેમનો રીલિઝ ઓર્ડર મુંબઇ આર્થર રોડ જેલ સુધી પહોંચાડી દીધેલ છે. સાંજે 5 વાગ્યે ઓથોરિટી ઓર્ડરની કોપી જોઇને તેમની જામીન સંબંધી પ્રક્રિયાઓ શરૂ કરી છે.
शिवसेना (उद्धव ठाकरे गुट) के नेता संजय राउत को मुंबई की PMLA अदालत द्वारा पात्रा चौल भूमि घोटाला मामले में जमानत मिलने के बाद आर्थर रोड जेल से रिहा कर दिया गया। pic.twitter.com/LxE6l8Mgaj
સૌથી પહેલાં સિદ્ધી વિનાયક મંદિર પહોંચશે
જેલથી છૂટ્યાં બાદ સંજય રાઉતનાં ભાઇ સુનીલ રાઉત અનુસાર તે સૌથી પહેલાં સિદ્ધી વિનાયક મંદિર જશે. ત્યારબાદ તે બાલાસાહેબ ઠાકરે સ્મૃતિ સ્થળ પહોંચશે. અહીંથી તે ઉદ્ધવ ઠાકરેથી મુલાકાત કરશે. ત્યારબાગ તે પોતાની માતાથી મળશે.
સંજય રાઉતની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED દ્વારા ઓગસ્ટમાં પાત્રા ચાલ જમીન કૌભાંડમાં સંજય રાઉતની ધરપકડ કરવામાં આવી હતી.પાત્રા ચાલ જમીન કૌભાંડ રૂ. 1,039 કરોડનું છે. આ કૌભાંડમાં EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો. આ પછી EDએ સંજય રાઉતના ઘરની તપાસમાં 11.5 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા હતા. આ કેસમાં એપ્રિલમાં ઇડીએ રાઉતની પત્ની વર્ષા રાઉત અને તેમના નજીકના સહયોગીઓની 11.15 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી હતી.