બ્રેકિંગ ન્યુઝ
VTV / bombay highcourt rejected ED request to put stay on bail of sanjay raut
Vaidehi
Last Updated: 07:01 PM, 9 November 2022
ADVERTISEMENT
શિવસેનાનાં સાંસદ સંજય રાઉત આજે સાંજે 7 વાગ્યે જેલની બહાર આવ્યાં. બોમ્બે હાઇકર્ટે પાત્રા ચાલ જમીન કૌભાંડ મુદે તેમની જામીન રોકવાની ઇડીની માંગને નામંજૂર કરી છે. સાંસદ રાઉતનાં વકીલે તેમનો રીલિઝ ઓર્ડર મુંબઇ આર્થર રોડ જેલ સુધી પહોંચાડી દીધેલ છે. સાંજે 5 વાગ્યે ઓથોરિટી ઓર્ડરની કોપી જોઇને તેમની જામીન સંબંધી પ્રક્રિયાઓ શરૂ કરી છે.
शिवसेना (उद्धव ठाकरे गुट) के नेता संजय राउत को मुंबई की PMLA अदालत द्वारा पात्रा चौल भूमि घोटाला मामले में जमानत मिलने के बाद आर्थर रोड जेल से रिहा कर दिया गया। pic.twitter.com/LxE6l8Mgaj
— ANI_HindiNews (@AHindinews) November 9, 2022
ADVERTISEMENT
સૌથી પહેલાં સિદ્ધી વિનાયક મંદિર પહોંચશે
જેલથી છૂટ્યાં બાદ સંજય રાઉતનાં ભાઇ સુનીલ રાઉત અનુસાર તે સૌથી પહેલાં સિદ્ધી વિનાયક મંદિર જશે. ત્યારબાદ તે બાલાસાહેબ ઠાકરે સ્મૃતિ સ્થળ પહોંચશે. અહીંથી તે ઉદ્ધવ ઠાકરેથી મુલાકાત કરશે. ત્યારબાગ તે પોતાની માતાથી મળશે.
સંજય રાઉતની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED દ્વારા ઓગસ્ટમાં પાત્રા ચાલ જમીન કૌભાંડમાં સંજય રાઉતની ધરપકડ કરવામાં આવી હતી.પાત્રા ચાલ જમીન કૌભાંડ રૂ. 1,039 કરોડનું છે. આ કૌભાંડમાં EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો. આ પછી EDએ સંજય રાઉતના ઘરની તપાસમાં 11.5 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા હતા. આ કેસમાં એપ્રિલમાં ઇડીએ રાઉતની પત્ની વર્ષા રાઉત અને તેમના નજીકના સહયોગીઓની 11.15 કરોડ રૂપિયાની સંપત્તિ પણ જપ્ત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.