હાઈકોર્ટની નાગપુર બેચે સુનવણી કરતા સમયે એમ પણ કહ્યું કે આ દુષ્ટ અને ખરાબ સમાજનો ભાગ હોવા પર શરમમાં છીએ.
બોમ્બે હાઈકોર્ટે બુધવારે એક વાર ફરીથી મહારાષ્ટ્ર સરકારે ફટકાર લગાવી
તમે અમને કોઈ ઉકેલ નથી આપતા આ શું નોંનસેન્સ છે - કોર્ટ
જીવન રક્ષક દવા લોકોને ન મળવી તેમના મૌલિક અધિકારોનું હનન
બોમ્બે હાઈકોર્ટે બુધવારે એક વાર ફરીથી મહારાષ્ટ્ર સરકારે ફટકાર લગાવી
નાગપુરની હોસ્પિટલમાં એન્ટી વાયરસ ડ્રગ રેમડેસિવિર પહોંચાડવાના આદેશનું પાલન ન કરવાને લઈને બોમ્બે હાઈકોર્ટે બુધવારે એક વાર ફરીથી મહારાષ્ટ્ર સરકારે ફટકાર લગાવી છે. હાઈકોર્ટની નાગપુર બેચે સુનવણી કરતા સમયે એમ પણ કહ્યું કે આ દુષ્ટ અને ખરાબ સમાજનો ભાગ હોવા પર શરમમાં છીએ. હાઈકોર્ટે એમ પણ કહ્યુ કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના દર્દીઓ માટે કંઈ નથી કરી શકી રહ્યુ.
તમે અમને કોઈ ઉકેલ નથી આપતા આ શું નોંનસેન્સ છે - કોર્ટ
જસ્ટિસ એસ બી શુકરે અને એસ એમ મોદકની ખંડપીઠે કહ્યુ કે જો તમે પોતાના પર શરમ આવી રહી છે તો અમને આ ખરાબ સમાજનો ભાગ હોવા પર શરમથી પાણી પાણી છીએ. આવી જ રીતે આપણે આપણી જવાબદારીથી પીછે હટ કરી રહ્યા છીએ. તમે અમારા દર્દીઓ પ્રત્યે બેદરકાર છો. અમે એક ઉકેલ આપીએ છીએ પરંતુ તમે તેનું પણ પાલન નથી કરી રહ્યા. તમે અમને કોઈ ઉકેલ નથી આપતા આ શું નોંનસેન્સ છે.
જીવન રક્ષક દવા લોકોને ન મળવી તેમના મૌલિક અધિકારોનું હનન
એક સમાચાર મુજબ કોર્ટે એમ પણ કહ્યું કે આ જીવન રક્ષક દવા લોકોને ન મળવી તેમના મૌલિક અધિકારોનું હનન છે. હવે એ સ્પષ્ટ છે કે પ્રશાસન પોતાની જવાબદારીથી પાછળ ભાગી રહ્યું છે. હાઈકોર્ટની પીઠ હોસ્પિટલોમાં સ્વાસ્થ્ય સેવાઓના અભાવ, લોકોને થઈ રહેલા હેરાનગતિન સહિતની કોરોના સાથે જોડાયેલી અનેક અરજીઓ પર એક સાથે સુનવણી કરી રહી છે. કોર્ટે એમ પણ કહ્યું કે તેમનો ઈરાદો કોઈની વિરુદ્ધ એક્શન લેવાની નથી બલ્કે એ સુનિશ્ચિત કરવાની છે કે નાગરિકોને હેરાનગતિનો સામનો ન કરવો પડે.
શું છે સમગ્ર મામલો?
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે સ્થિતિ બહું ખરાબ છે. રાજ્યોના મોટા ભાગના શહેરો જેવા કે મુંબઈ, પૂણે સહિત અન્યમાં સંક્રમણની સ્પીડ વધી રહી છે. તેવામાં હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજન પણ ઓછા પડી રહ્યા છે. સાથે રેમડેસિવિર ઈન્જેક્શનની પણ અછત સર્જાઈ છે. આ અછતને જોતા બોમ્બે હાઈકોર્ટે રાજ્યની ઉદ્ધવ સરકારને આદેશ આપ્યો છે કે તે સોમવારે રાતના 8 વાગ્યા સુધીમાં નાગપુરમાં 10 હજાર રેમડેસિવિરના ઈન્જેક્શન સપ્લાય સુનિશ્ચિત કરે.