નોકરિયાત પત્ની પાસેથી બેરોજગાર પતિને ભરણપોષણ મેળવવાનો રસ્તો આખરે મંજૂર થઈ ગયો છે.
છૂટાછેડા બાદ પત્નીને આપવું પડશે પતિને ભરણપોષણ
કોર્ટે મહિલાને આપ્યો આ આદેશ
પતિએ ભરણપોષણ માટે કરી હતી અરજી
નોકરિયાત પત્ની પાસેથી બેરોજગાર પતિને ભરણપોષણ મેળવવાનો રસ્તો આખરે મંજૂર થઈ ગયો છે. મહારાષ્ટ્રના નાંદેડની એક સિવિલ કોર્ટે પત્નીના છૂટાછેડા બાદ પતિને ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો હતો. તેના વિરુદ્ધ પત્નીએ ઔરંગાબાદ હાઈકોર્ટમાં પહોંચી હતી. ઔરંગાબાદ બેંચે સિવિલ કોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો. નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાની અને ના પાડવાની પત્નીની અરજીને રદ કરી દીધી હતી.
1992માં થયા હતા લગ્ન
હકીકતમાં જોઈએ તો, નાંદેડની એક મહિલાએ ઔરંગાબાદ બેંચમાં અરજી કરી હતી. અરજીકર્તાની પત્ની અને પતિના લગ્ન 1992માં થયા હતા. ઉચ્ચ શિક્ષણ બાદ તેને પત્નીને સરકારી નોકરી લાગી. ત્યાર પત્નીએ પોતાના પતિ સાથે છૂટાછેડા લઈને નાંદેડની એક સિવિલ કોર્ટમાં અરજી કરી હતી. 2015માં કોર્ટે છૂટાછેડા અપાવ્યા. છૂટાછેડા બાદ પતિ હિન્દુ વિવાહ અધિનિયમ 1955ની કલમ 24 અને 25 અંતર્ગત સ્થાયી ભરણપોષણ માટે સિવિલ કોર્ટમાં પહોંચ્યો હતો.
અરજીકર્તાની પત્ની દીવાની કોર્ટના આદેશને ઔરંગાબાદ પીઠમાં પડકાર આપ્યો હતો. છૂટાછેડા બાદ પતિ-પત્નીની વચ્ચે સંબંધ સમાપ્ત થઈ ગયો એટલા માટે પત્ની તરફથી એવું કહેવામાં આવ્યું કે, હિન્દુ વિવાહ અધિનિયમ 1955ની કલમ 25 અંતર્ગત સ્થાયી ભરણપોષણ લગાવી શકાય નહીં.
પત્નીને ભણાવામાં યોગદાન
પતિએ અરજી દાખલ કરતા દાવો કર્યો કે, તેણે પત્નીને ભણાવામાં ખૂબ જ યોગદાન આપ્યું છે. તેણે કહ્યું કે, પત્ની ભણાવવા માટે તેણે પોતાની જરૂરિયાતો અને ઈચ્છાઓને દફનાવી દીધી અને ઘર સાથે જોડાયેલી વસ્તુઓમાં મેનેજ કરવા લાગ્યો. પતિએ દલીલ આપી હતી કે, તેને સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કેટલીય બિમારીઓ પણ છે. જેના કારણે તેની તબિયત સારી નથી રહેતી. જો કે, તેની પત્ની મહિને 30 હજાર કમાય છે.
મારી કમાણી પર નિર્ભર છે મારી દિકરી
એક બાજૂ જ્યાં પતિએ ભરણપોષણ માટે અરજી કરી તો, વળી પત્નીનું કહેવુ છે કે, તેના પતિ પાસે કરિયાણાની દુકાન છે અને તેની પાસે એક ઓટો રિક્ષા પણ છે. મહિલાએ કહ્યું કે, તેનો પતિ તેની કમાણી પર નિર્ભર નથી. પણ આ સંબંધમાં એક દિકરી પણ છે, જે માની કમાણી પર નિર્ભર છે. એટલા માટે પતિ દ્વારા ભરણપોષણની માગને રદ કરી દેવી જોઈએ.
પતિ-પત્નીની દલીલ સાંભળતા નિચલી કોર્ટે વર્ષ 2017માં આદેશ આપ્યો હતો કે, મહિલાએ પોતાના પતિને 3,000 રૂપિયા દર મહિને ભરણપોષણ તરીકે આપવાના રહેશે. જો કે, કોર્ટના આદેશ છતાં પણ મહિલા પૂર્વ પતિને પૈસા આપતી નહોતી. જેને લઈને 2019માં વધુ એક આદેશ આવ્યો જેમાં કોર્ટે અરજીની તારીખથી અરજીનું નિવારણ આવ્યું ત્યાં સુધીનું ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો હતો.