મુંબઈના પૂર્વ કમિશનર પરમબીર સિંઘ દ્વારા લગાવવામાં આવેલા આરોપો મુદ્દે બોમ્બે હાઇકોર્ટે CBIને મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે 15 દિવસમાં તપાસ ચાલુ કરવાના આદેશ આપ્યા
અનિલ દેશમુખ સામે CBI તપાસનો આદેશ
પરમબીરસિંહે કરી હતી હાઇકોર્ટમાં અરજી
હાઇકોર્ટે મામલાને અસાધારણ ગણાવ્યો
અનિલ દેશમુખ સામે CBI તપાસનો આદેશ
મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહ દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતાં સોમવારે બોમ્બે હાઇકોર્ટ દ્વારા મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. 100 કરોડ રૂપિયા વસૂલીના આરોપોની તપાસ હવે CBI દ્વારા કરવામાં આવશે. બોમ્બે હાઇકોર્ટે આ કેસમાં CBI તપાસના આદેશ આપી દીધા છે.
15 દિવસમાં પ્રાથમિક રિપોર્ટ આપવામાં આવશે
બોમ્બે હાઇકોર્ટે કહ્યું કે પ્રાથમિક તપાસ CBI દ્વારા દ્વારા કરવામાં આવશે અને તેમાં બધાએ સહયોગ આપવાનો રહેશે. 15 દિવસમાં CBIના ડાયરેક્ટરને રિપોર્ટ સોંપવામાં આવશે અને જૉ CBIને દેશમુખ સામે કેસ મજબૂત બનશે તો CBI FIR દાખલ કરશે.
બોમ્બે હાઈકોર્ટનું અવલોકન, મામલો અતિ ગંભીર છે
અરજી પર સુનાવણી કરતાં બોમ્બે હાઇકોર્ટે કહ્યું કે આ મામલે FIR થઈ છે, પોલીસથી તપાસની અપીલ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે અનિલ દેશમુખ પર આરોપ લગાવવામાં આવ્યા છે અને તે જ રાજ્યના ગૃહમંત્રી અમિત છે. એવામાં નિષ્પક્ષ તપાસ માટે પોલીસ પર નિર્ભર રહી ન શકાય. તેથી આ મામલે CBI દ્વારા તપાસ કરવાની જરૂર છે.
શું છે સમગ્ર કેસ
નોંધનીય છે કે પરમબીર સિંહે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને દાવો કર્યો હતો કે ગૃહમંત્રી દેશમુખ પોલીસ અધિકારી પાસે દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલી કરાવતા હતા અને તે બાદ પરમબીર સિંહ હાઇકોર્ટ પહોંચ્યા હતા.