પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં તૃણમુલ કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઇ છે. જેમાં ત્રણ ટીએમસી કાર્યકર્તાઓના મોત નિપજ્યાં છે. સ્થાનિક સૂત્ર અને પોલીસના જણાવ્યાં અનુસાર શનિવારે સવારે ટીએમસી અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ જોવા મળી.
જેમાં ટીએમસી કાર્યકર્તા ખૈરૂદ્દીન શેખ અને સોહેલ રાણા અને એક અન્ય કાર્યકર્તાઓનું મોત થયું છે. આ અગાઉ લોકસભા ચૂંટણી પહેલા ઢોમકોલ પંચાયત પંચાયત સમિતિના અલ્તાફ હુસેનની પણ હત્યા કરવામાં આવી હતી. આ દૂર્ઘટનામાં મુખ્ય આરોપીને થોડા દિવસ બાદ મુક્ત કરી દેવામાં આવ્યો હતો.
એવુ કહેવામાં આવું રહ્યું છે કે સોહેલ રાણા અલ્તાફ હુસૈનનો દીકરો છે અને ખૈરૂદ્દીન શેખ તેનો મોટો ભાઇ છે. આ હત્યા બાદ વિસ્તારમાં પોલીસકની સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. કાર્યકર્તાઓના મોત પાછળ ટીએમસીએ કોંગ્રેસનો હાથ હોવાનું જણાવ્યું છે.
WB:TMC workers Khairuddin Sheikh&Sohel Rana died after bomb was hurled at their house last night in Murshidabad.Milan Sheikh,Khairuddin's son says,"We were sleeping,suddenly our house was bombed.They shot my father.Few days back my uncle was also killed. Congress is behind this." pic.twitter.com/w1yw4zfKfM
ખૈરુદ્દીનના દિકરાએ કહ્યું કે અમે ઉંઘમાં હતા ત્યારે અમારા પર અચાનક બોમ્બથી હુમલો કરવામાં આવ્યો. તે લોકોએ મારા પિતા પર હુમલો કર્યો. થોડા દિવસ પહેલા મારા કાકાની પણ હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા પાછળ કોંગ્રેસનો હાથ હોવાનું જણાવ્યું.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી બાદ પણ પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા સમાપ્ત થવાનું નામ લેતી નથી. અહીં અત્યાર સુધીમાં અંદાજે 10 રાજકીય કાર્યકર્તાઓની હત્યા થઇ છે. અત્યાર સુધી અહીં ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ જોવા મળતી હતી પરંતુ આ પ્રથમ વખત છે કે કોંગ્રેસ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે અથડામણ થઇ છે.