યૂપીની રાજધાની લખનઉમાં CM યોગી આદિત્યનાથનાં ઘરની બહાર બોમ્બ હોવાનો ફોન કોલ આવતાં હડકંપ મચી ગયો છે.
UPની રાજધાની લખનઉમાં હડકંપ
CM યોગી આદિત્યનાથનાં ઘરની બહાર બોમ્બ હોવાની સંભાવના
બોમ્બ નિરોધક ટીમ ઘટનાસ્થળ પર પહોંચી
UPની રાજધાની લખનઉમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં આવાસની બહાર બોમ્બ હોવાનો ફોન કોલ આવતાં તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. માહિતી મળતાં જ બોમ્બ નિરોધક ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. પાસ બાદ સામે આવ્યું કે મળેલ માહિતી ખોટી હતી.
મળેલ માહિતી ખોટી હતી
શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું કે મળેલ માહિતી ખોટી હતી. આ સાથે જ DCPએ કહ્યું કે પોલીસ કંટ્રોલ રૂમ પર બોમ્બ મળ્યાંની સૂચના મળી હતી જેમાં તકેદારીના ભાગરૂપે સઘન ચેકીંગ કરવામાં આવી હતી. પરંતુ ટીમને કંઈ મળ્યું નહીં. અત્યારસુધી તો તપાસ બાદ મળેલ માહિતી ફેક હોવાનું જ સામે આવ્યું છે. તકેદારીનાં ભાગરૂપે આવાસની આસપાસનાં વિસ્તારમાં પણ ચેકિંગ કરવામાં આવી રહી છે. સૂચના આપનારાને પણ શોધવામાં આવી રહ્યો છે.
પોલીસને ફોન કોલથી મળી હતી માહિતી
પોલીસ માહિતી અનુસાર આરોપીએ ફોન કોલ કરીને બોમ્બની સૂચના આપી હતી. ત્યારબાદ ઘટનાસ્થળ પર LIUની ટીમ પહોંચી ગઈ હતી. આ સાથે જ સીએમ યોગી આદિત્યનાથનાં આવાસની બહાર સુરક્ષા વધુ કડક કરી દેવામાં આવી છે.