અફઘાનિસ્તાનના કંધારમાં એક બોમ્બ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જેમા મસ્જિદમાં નમાજના સમયે બોમ્બ બ્લાસ્ટ થયો છે. જેમા 40 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે
અફઘાનિસ્તાનના કંધારમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના
ફરી વખત આતંકીઓએ મસ્જિદમાં કર્યો બોમ્બ બ્લાસ્ટ
બ્લાસ્ટમાં 32થી પણ વધું લોકોના મોત
દક્ષિણ અફઘાનિસ્ચતાનના કંધારમાં આવેલ શિયા મસ્જિદમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. જેમા 32 લોકોના મોત થયા છે. સાથેજ 40 કરતા પણ વધારો લોકો આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મસ્જિદમાં લોકો નમાજ પડી રહ્યા હતા તે સમયે આ બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. જેના કારણે 32 લોકોના મોત થયા છે.
બ્લાસ્ટ પાછળ કોનો હાથ તે તપાસનો વિષય
આપને જણાવી દઈએ રે અગાઉ પણ થોડક દિવસ પહેલા મસ્જિદમાં હુમલો થયો હતો. ત્યારે વધુમાં ફરી વખત અહીયા મસ્જિદમાં હુમલો થયો છે. જેના કારણે અહીયાના લોકો હવે ભયમાં જીવી રહ્યા છે. સમગ્ર મામલે તાલિબાન પ્રવક્તા બિલાલ કરીમીએ કહ્યું કે સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. જોકે વિસ્ફોટ પાછળ કોનો હાથ છે તે હજું સુધી સામે નથી આવી શક્યું, .
અગાઉ બ્લાસ્ટમાં 100 લોકોના મોત થયા હતા
બ્લાસ્ટ સમયે મોટી સખ્યામાં લોકો અહીયા નમાજ પડી રહ્યા હતા. આપને જણાવી દઈએ કે મસ્જિદમાં ખાસ કરીને શિયા અલ્પસંખ્યક સમુદાયના સદસ્યમાં આવે છે. જેમને આઈએસ દ્વારા ટાર્ગેટ કરવામાં આતા હોય છે. ગત વખતે જ્યારે મસ્જિદમાં બ્લાસ્ટ થયો હતો ત્યારે તે ઘટનામાં પણ 100 લોકોના મોત થયા હતા.
3 ઓક્ટોબરે પણ બ્લાસ્ટ થયો હતો
ગત શુક્રવારે કુંદજની એક મસ્જિદમાં આતંકીઓએ બ્લાસ્ટ કર્યો હતો. જેમા 100 થી વધું લોકો માર્યા ગયા હતા. જેને લઈને ભારતે આ ઘટનાની નીંદા કરી હતી. તે પહેલા 3 ઓક્ટોબરના રોજ કાબુલની એક મસ્જિદમાં પણ બ્લાસ્ટ થયો હતો. જેમા 5 લોકોના મોત થયા હતા.