સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સતત સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી રહી છે. શેખર સુમન, કંગના રનૌતથી લઈને રૂપા ગાંગુલી અને રતન રાજપૂત જેવા સ્ટાર્સ પછી હવે ટીવી એક્ટર તરૂણ ખન્નાએ પણ એક્ટરની મોતને લઈને સીબીઆઈ તપાસની માંગ કરી છે. સુશાંત માટે ન્યાયની અપીલ કરવાની સાથે તરૂણ ખન્નાએ સુશાંતના ખાસ મિત્ર સંદીપ સિંહ પર પણ રોષ ઠાલવ્યો છે. તરૂણ એ વાતથી ભડક્યો છે કે સંદીપ સિંહ તેના ઈન્ટરવ્યૂમાં લોકોને ક્લીનચિંટ આપી રહ્યો છે અને કોઈપણ મોટા સ્ટાર સુશાંત માટે ન્યાયની માંગણી નથી કરી રહ્યાં.
બધાં જ સુશાંતની મોત પાછળનું કારણ જાણવા માગં છે
તો હવે ટીવી એક્ટર તરૂણ ખન્ના સુશાંતના મિત્ર અને ઈન્ડસ્ટ્રી પર ભડક્યો
A post shared by Tarun Khanna (@tarunkhanna23.tk) on
'કસૌટી જિંદગી કી', 'દેવો કે દેવ મહાદેવ' અને 'આરંભ' જેવા ટીવી સીરિયલમાં કામ કરી ચૂકેલા તરુણ ખન્નાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે બોલિવૂડ સેલેબ્સ સામે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ સીબીઆઈ તપાસની માંગ નહીં કરતા રોષ વ્યક્ત કર્યો હતો. આ સાથે તેણે સંદીપ સિંહ અને સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને પણ આડે હાથ લીધા છે.
આ વીડિયોમાં તરૂણ ખન્નાએ કહ્યું- મારું નામ તરૂણ ખન્ના છે. હું ટીવી એક્ટર છું અને ઘણાં સમયથી કામ કરી રહ્યો છું. આજે હું સુશાંત વિશે વાત કરવાનો છું. મેં મારા જીવનમાં મારા પરિવાર, મારા કામ અને મિત્રો સિવાય કોઈના વિશે વાત નથી કરી. પણ સુશાંતના મોત થઈ ત્યારથી હું બેચેન છું. મને એ વાત પરેશાન કરી રહી છે કે હું ચુપ કેમ છું. હું જ્યાં પણ જાઉં છું, મિત્રોને મળું છું, પર્સનલ લેવલ પર વાત થઈ રહી છે. સુશાંતની મોતને લઈને જે વાતો લિંક કરવામાં આવી રહી છે તે પુખતા નથી.
A post shared by Tarun Khanna (@tarunkhanna23.tk) on
કઈ વાતનું ડિપ્રેશન હતું
તરૂણે આગળ કહ્યું- સુસાઈડ કરવાની એક પરિસ્થિતિ હોય છે. એવું કહેવાઈ રહ્યું છે કે, સુશાંતે ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી લીધી. પણ પવિત્ર રિશ્તા જેવી સુપરહિટ સીરિયલ કરી જે ઘણાં વર્ષો સુધી ભારતના ટેલિવિઝન પર નંબર 1 રહી હતી. શું તેણે કાઈ પો છે જેવી ફિલ્મ કરી એનું ડિપ્રેશન હતું? તેણે મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિકમાં કામ કર્યું, છિછોરેમાં 150 કરોડનો બિઝનેસ કર્યો, એ વાતનું ડિપ્રેશન હતું? મુંબઈના સૌથી મોટા કાસ્ટિંગ ડિરેક્ટર્સમાંથી એક મુકેશ છાબડાની સાથે કામ કર્યું. જે એક્ટરની લાઈફમાં આ બધું થઈ રહ્યું હોય તે સુસાઈડ કઈ રીતે કરી શકે છે?
A post shared by Sandip Ssingh (@officialsandipssingh) on
પૈસાની કોઈ કમી નહોતી
તરૂણે કહ્યું- સુશાંતની બેંક ડિટેલ્સથી જાણવા મળ્યું કે તે કરોડો રૂપિયા દાન પણ કરી રહ્યો હતો. પૈસાની કોઈ કમી નહોતી. તો આવા ટેલેન્ટેડ એક્ટરને કામનું ડિપ્રેશન તો ના જ થઈ શકે. અમારા જેવા એક્ટરને જુઓ, 15 વર્ષ ઈન્ડસ્ટ્રીમાં વિતાવ્યા છતાં ખૂબ મહેનત કરવી પડે છે. સુશાંત અમારા બધાં માટે આશાની કિરણ હતો. તેને જોઈને એવું લાગતું કે તેણે એ કામ કરી બતાવ્યું જે અમે કરવા માંગતા હતા. સુશાંત અમારા માટે હીરો હતો. હવે અમારા હીરોને મારી નાંખવામાં આવ્યો કે તે મરી ગયો એ જાણવાનો અમને અધિકાર છે.
મિત્રો કેમ આગળ નથી આવી રહ્યા
તરૂણે આગળ કહ્યું- તે સુશાંતને જિમમાં 2-3 વાર મળ્યો છે અને હાય હેલો કર્યુ છે. તે સુશાંતને નજીકથી નહોતો જાણતો, પરંતુ સુશાંતના નજીકના મિત્ર સંદીપ સિંહે કઈ રીતે લોકોને ક્લિન ચીટ આપી દીધી. સંદીપે એક ઈન્ટરવ્યૂમાં પહેલી જ લાઈનમાં કહ્યું કે, કોણે કહ્યું કે સુશાંતની હત્યા કરવામાં આવી છે. લોકો જ આવી વાતો ફેલાઈ રહ્યાં છે. તેણે એકદમથી બધાંને ક્લિન ચીટ આપી દીધી. સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ આગળ આવીને કેમ કંઈ કહી નથી રહી અથવા તો એવું કહી દે કે અમે કહેવા માંગીએ છીએ પરંતુ પોલીસ અમને ના પાડી છે.
સંદીપ પર ભડક્યો એક્ટર
તરૂણએ સંદીપ માટે કહ્યું-જ્યારે તમે તેની સાથે તેના ઘરમાં રહેતા હતા અને તેના પૈસાનું ખાતા હતા ત્યારે બધું ચાલતું હતું. આજે તે મરી ગયો છે. તેણે કહ્યું કે તમે એકવાર સંદીપનો ઇન્ટરવ્યૂ જુઓ, એવું લાગે છે કે જાણે તેના કારણે સુશાંતે આ મુકામ હાંસલ કર્યું હતું. અરે ભાઈ તૂ છે કોણ? તેનું લોહી નથી ઉકળી કહ્યું પણ મારું ઉકળી રહ્યું છે. સુશાંત જ મારી જ ઈન્ડસ્ટ્રીનો વ્યક્તિ હતો.
બોલિવૂડ સ્ટાર્સ પર ઉઠાવ્યા સવાલ
તેણે બોલિવૂડ સ્ટાર્સ પર સવાલ ઉઠાવતા કહ્યું- અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ અને રણબીર કપૂર આ લોકો શાંત કેમ છે. સીબીઆઈ તપાસની માંગ કેમ નથી કરતા. જો તેઓ પણ તપાસની માંગ કરશે તો પોલીસ પર પ્રેશર વધશે. સુશાંતનો કોઈ ગોડફાધર નહોતો. તે કોઈ મોટા દિગ્દર્શક અથવા નિર્માતાનો દિકરો નહોતો. આ જ કારણથી ઈન્ડસ્ટ્રીમાં કોઈ તેના વિશે વાત નથી કરી રહ્યું. તેણે આ વીડિયોમાં શેખર સુમન અને શેયર કપૂરને રીયલ હીરો ગણાવ્યા, આ લોકો સુશાંતની મોત બાદ સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યાં છે.