કૂપર હોસ્પિટલમાંથી ગયા મહિને નિવૃત્ત થયેલા રૂપકુમાર શાહે દાવો કર્યો કે બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરવામાં આવી હતી. હવે તેના પર બિહારના પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડેએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો મને 15 દિવસ મળ્યાં હોત તો કેસ ઉકેલાઈ ગયો હોત અને આ કેસને જે રીતે હેન્ડલ કરાયો તે રીતે હેન્ડલ ના કરાયો હોત.
સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડેનુ નિવેદન
જો મને 15 દિવસ મળ્યાં હોત તો કેસ ઉકેલાઈ ગયો હોત
આ કેસને જે રીતે હેન્ડલ કરાયો તે રીતે ના કરાયો હોત
જો મને 15 દિવસ મળ્યાં હોત તો કેસ ઉકેલાઈ જાત: પૂર્વ DGP ગુપ્તેશ્વર પાંડે
ANI મુજબ તેમણે કહ્યું કે હવે મહારાષ્ટ્રની સરકારે આશા બદલી નાખી છે કે હકીકત સામે આવશે. આખી સ્થિતિની તપાસ માટે એક વિશેષ તપાસ દળની પણ રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ પોલીસ મહાનિર્દેશક ગુપ્તેશ્વર પાંડે પ્રારંભિક સેવાનિવૃત્તિ લેવા અને જેડીયુમાં જોડાતા પહેલા સુશાંત સિંહ રાજપૂતની મોતના મામલાની તપાસ ટીમના પ્રભારી હતા.
એક આઈપીએસ અધિકારીને પણ નજરકેદ કરાયો
ગુપ્તેશ્વર પાંડેએ આરોપ લગાવ્યો કે તપાસ દરમ્યાન મુંબઈ પોલીસે બિહારથી મોકલવામાં આવેલા અધિકારીઓની ટીમને સહયોગ નહોતો કર્યો. તેમણે કહ્યું કે બિહારથી મોકલવામાં આવેલા અધિકારીઓની એક ટીમ પ્રત્યે મુંબઈ પોલીસનો વ્યવહાર અનૈતિક હતો અને ત્યારે મને લાગ્યુ કે તેઓ કશુક છુપાવી રહ્યાં છે. એક આઈપીએસ અધિકારીને પણ મોકલવામાં આવ્યો જેને નજરકેદ કરવામાં આવ્યો. મારી ટીમ અને મને તપાસ માટે પૂરતો સમય ના મળ્યો. જો મને 15 દિવસ મળ્યાં હોત તો આખો કેસ ઉકેલાઈ ગયો હોત અને આ કેસને હાલ જે રીતે હેન્ડલ કરાઈ રહ્યો છે તે રીતે હેન્ડલ ના કરાયો હોત.
રૂપકુમાર શાહે કર્યો હતો હત્યાનો દાવો
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂત 14 જૂન, 2020ના રોજ બાંદ્રામાં પોતાના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળ્યાં હતા. કૂપર હોસ્પિટલના એક પૂર્વ કર્મચારી રૂપકુમાર શાહે સુશાંત સિંહ મોત મામલે હત્યા થયાનો દાવો કર્યો હતો.