દેશમાં આજે (11 એપ્રિલ)થી 17મી લોકસભા માટેની ચૂંટણી શરૂ થઇ ગઇ છે. પહેલા તબક્કામાં દેશની 91મી સીટ પર મતદાન ચાલી રહ્યુ છે. આ વખતે સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે. છેલ્લા તબક્કાનુ મતદાન 19 મેના યોજાશે. એવામાં જો વાત કરવામાં આવે કે લોકસભા ચૂંટણી 2014ને જેમાં કેટલાક બોલિવુડ સ્ટાર્સે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો ન હતો, જેનો સીધો મતલબ છે કે, આ બોલિવુડ સ્ટાર્સ PM મોદીના જીત માટે હકદાર ન હતા.
લોકસભા 2019ની લહેર બોલિવુડમાં અલગ-અલગ અંદાજમાં જોવા મળી રહી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014થી મોર્ચો સંભાળ્યા પછી તમામ બાબતોની સાથે સાથે બોલિવુડ પર પણ ધ્યાન રાખ્યુ, જેના કારણે ગત કેટલાક મહિનામાં ફિલ્મી સ્ટાર્સ કોન્ટેક્ટ કર્યા અને તેમને લોકોને વોટ કરવા માટે અપીલ કરી. આ માટે પોતાના ટ્વિટર એકાઉન્ટની મદદથી બોલિવુડના સ્ટાર્સ પણ ટેગ કર્યા અને આ મેસેજ પહોંચાડ્યો.
અહીંયા વાત કરીશું એવા ફિલ્મી સ્ટાર્સી જેમને ગત લોકસભા 2014માં પોતાના મતાધિકારનો ઉયપોગ ના કર્યો. પ્રિયંકા ચોપરા, અનિલ કપૂર, શબાના આઝમી, જાવેદ અખ્તર, સોનાક્ષી સિન્હા, રિતિક રોશન, દીપિકા પાદુકોણ, માધુરી દીક્ષિત, કરિના કપૂર, સૈફ અલી ખાન, બોમન ઇરાની અને બિપાશા બાસુ જેવા સ્ટાર્સે ગત લોકસભા 2014ની ચૂંટણીમાં મતદાન કર્યુ ન હતુ, જેથી આ સ્ટાર્સનો પીએમ મોદીની જીત પાછળ કોઇ સાથ ન હતો.
આ તમામ સ્ટાર્સને મતદાન ન કરવા પાછળનુ મુખ્ય કારણે આ દિવસે તમામ અમેરિકામાં આયોજિત આઇફા એવોર્ડમાં પહોંચ્યા હતા આ તમામ સ્ટાર્સ મતદાન કરવાની જગ્યાએ એવોર્ડ્સમાં જવાનું પસંદ કર્યુ, તો બીજી તરફ એક્ટર ફરહાન અખ્તર અને શાહિદ કપૂર 26 એપ્રિલ 2014ના પોતાનો વોટ કરીને બીજી દિવસે અમેરિકા પહોંચ્યા હતા, આ એવોર્ડ ફંક્શન ફ્લોરિડાયમાં થંપા બેયમાં 4 દિવસ સુધી ચાલ્યુ હતુ.
એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા આ સમયે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને અબૂ ધાબી જવા માટે રવાના થઇ. કગના રૌનત અને સુભાષ ઘાઇ પણ કામ છોડીને મત આપવો વધારે મહત્વનો સમજ્યો. તમને જણાવી દઇએ કે, આઇફા એવોર્ડ્સ અને મુંબઇમાં મતદાન એક જ દિવસે હતુ. ઉલ્લેખનીય છે કે, ભાજપની તરફથી ચૂંટણી લડનારી એક્ટર કિરણ ખેરે પણ મત દાન કર્યુ અને તેમના પતિ- એક્ટર અનુપમ ખેર મતદાન કર્યા વગર આઇફા એવોર્ડમાં પહોંચ્યા હતા.
સૌથી મોટી વાત એવી છે કે, પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક કરનારા એક્ટર વિવેક ઑબરોયે પણ લોકસભા ચૂંટણી 2014માં આઇફામાં જતા પહેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો ન હતો. તમને જણાવી દઇએ કે, 11 એપ્રિલના તેની ફિલ્મ બાયોપિક રિલીઝ થવાની હતી. ચૂંટણી આયોગે બાયોપિકને રિલીઝ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે કેમકે આચાર સંહિતના ઉલ્લઘંન થઇ રહ્યુ છે.