ભારતની સુપ્રીમ કોર્ટે ગઈકાલે આપેલ ત્રિપલ તલાક મુદ્દે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું કે ત્રિપલ તલાક ગેરબઁધારણીય છે. આ અંગે કેન્દ્ર સરકાર કોઇ ખાસ કાયદો 6 માસની સમયમર્યાદા બનાવે. સુપ્રીમ કોર્ટના આ પ્રથા પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને ભારતના વડાપ્રધાન સહિત બોલિવુડ સિતારાઓએ પણ વધાવી લીધો હતો. ઉલ્લેખનીય છે કે ત્રિપલ તલાકની ઘટનાથી ભારતની ટ્રેજડી કિંગની ઓળખ પામેલ ભારતીય ફિલ્મ જગતની નાયિકા મીના કુમારી સહિત ભારતની અનેક મહિલાઓ ભોગ બની છે.
સુપ્રીમ કોર્ટના આ પ્રથા પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયને ભારતના વડાપ્રધાન સહિત બોલિવુડ ઇન્ડસ્ટ્રીએ પણ વધાવી લીધો હતો. ઇન્ડસ્ટ્રસાથે જોડાયેલ કેટલીક હસ્તીઓએ પણ આ અંગેપ્રતિક્રિયાઓ આપી હતી.
અજય દેવગણે કહ્યું 'આ નિર્ણય ઘણાં સમયથી અટકી પડ્યો હતો. પણ ખૂબ જ સારી બાબત છે હવેત્રિપલતલાક અંગે નિર્ણય લેવાયો. હું આ નિર્ણયથી અત્યંત ખુશ છું અને બધા લોકો ખુશ છે.
ઋષિકપૂરેટ્વિટર પર ટ્વિટ કરી જણાવ્યુ હતુ કેઅમારી ફિલ્મ પ્રેમરોગમાં વિધવાલગ્ન પર સખત કોમેન્ટ કરી હતી અને હવે દાયકા બાદ જૂના ત્રિપલ તલાક સિસ્ટમ સમાપ્ત થઇ. બધાઇ હોમહિલાઓને મુક્તિ મળી.
ડાયરેકટર મધુર ભંડારકર દ્વારા સુપ્રિમ કોર્ટના આ નિર્ણયની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે 'ટ્રિપલ તલાકને અનધિકૃત ઘોષણા કરવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય સ્વાગત કરવા લાયક છે.આ નિર્ણયથી મુસ્લિમ મહિલાઓના સશક્તિકરણની નવી શરૂઆત થશે.
અનુપમ ખેરે આ ફેંસલાને વધાવતા કહ્યુ હતુ કે 'કેટલાક ફેંસલા ન તો libtards માટે થાય છેન તો પપ્પુઓ માટેના ભક્તો માટે #TripleTalaq ના નિર્ણયથી મહિલાઓના માનવ અધિકારની જીત થઇ છે.
શબાના આઝમીએ કહ્યુ કે 'હું ત્રિપલ તલાક પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારૂ છુ. આ તેવી બહાદુર મુસ્લિમ મહિલાઓની જીત છે જે તેના વિરુદ્ધ વર્ષોથી લડાઇ કરે છે.
પાયલ રોહતગીએ જણાવ્યુ હતુ કે ટ્રિપલ તલાક ગેરકાયદે જ હતુ. આ નિર્ણયથી મુસ્લિમ મહિલાઓની જીત થઇ છે અને હવે તેઓ એક કચરાની જેમ ટ્રીટ નહીં થાય.