બોલિવૂડના જાણીતા સિંગર કેકેએ 53 વર્ષની ઉંમરે આ દુનિયાને કહી અલવિદા. કે કે પંચતત્વમાં ભળી ગયા લોકોમાં શોકની લાગણી ફેલાઈ
કેકેએ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહ્યું
કેકેના અંતિમ સંસ્કાર વર્સોવા હિન્દુ સ્મશાનમાં
મિત્રો અને પરિવાર રહ્યો હાજર
લોકોમાં બધે શોક છવાયો
છેલ્લા કેટલાક દિવસો માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. મંગળવારે જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુનાથ ઉર્ફ કેકેએ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું હતું. લાઇવ કોન્સર્ટ માટે કોલકાતા પહોંચેલા કેકેના નિધનના સમાચારથી આખો દેશ ચોંકી ઉઠ્યો છે. હવે ગુરુવારે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
હિન્દુ સ્મશાનમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર
કેકેના અંતિમ સંસ્કાર વર્સોવા હિન્દુ સ્મશાનમાં કરવામાં આવ્યા. સિંગરને અંતિમ વિદાય આપવા માટે પરિવાર અને ચાહકો ઉપરાંત બોલીવૂડના ઘણા સેલેબ્સ પણ પહોચ્યા.
#KK's son Nakul performs the last rite.
The most difficult thing for a son to do 💔.
અશ્રુભીની આપી શ્રધાંજલિ
કેકેને અંતિમ વિદાય આપવા માટે બોલીવૂડના અનેક દિગ્ગજો પહોંચી રહ્યા છે. જાણીતા ગાયક ઉદિત નારાયણ પણ કેકેના અંતિમ દર્શન માટે પહોંચ્યા છે. પ્રખ્યાત ગાયક રાહુલ વૈદ્ય અને તોશી સાબરી પણ તેમના પ્રિય ગાયકને અંતિમ વિદાય આપવા પહોંચ્યા છે. બંને ગાયકો કેકેના મૃત્યુથી ખૂબ જ દુ:ખી છે..
દીગ્ગજોએ આપી હાજરી
બોલિવૂડના જાણીતા સિંગર અભિજીત ભટ્ટાચાર્ય અને જાવેદ અલી પોતાના મિત્ર અને ફેમસ સિંગર કેકેના અંતિમ દર્શન માટે પોતાના ઘરે પહોંચી ગયા છે. કેકેની વિદાયનું દુઃખ બંનેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. જયારે સિંગર અરમાન મલિક પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.
હૃદયરોગના હુમલાથી કે.કે.નું અવસાન
કોન્સર્ટમાં પરફોર્મ કર્યા પછી કેકેનું 53 વર્ષની વયે નિધન થયું હતું. સીંગરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ આવી ગઈ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર કોલકાતા પોલીસને સોંપવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સિંગરના મોતનું કારણ હાર્ટ એટેક છે.