હૈદરાબાદ ગેંગરેપ-મર્ડર કેસમાં શુક્રવારે સવારે ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા છે. બોલિવૂડ એક્ટર અનુપમ ખેર, ઋષિ કપૂર, એક્ટ્રેસ રકુલ પ્રીત સહિત અનેક સેલેબ્સે ટ્વિટ કરી તેલંગાણા પોલીસનો આભાર માન્યો છે અને તેલંગાણા પોલીસની પ્રશંસા કરી છે.
તેંલગાણામાં દુષ્કર્મના ચારેય આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા
પીડિતા પર પેટ્રોલ છાંટી કરી હતી હત્યા
બોલિવૂડ સેલેબ્સે તેલગાંણા પોલીસનો આભાર માન્યો
એક્ટર અનુપમ ખેરે તેલંગાણા પોલીસને આભાર માન્યો અને અભિનંદન પણ પાઠવ્યા છે. ઋષિ કપૂર અને રકુલ પ્રીતે પણ ટ્વિટમાં કહ્યું, 'બળાત્કાર જેવો ગુનો કર્યા બાદ તમે કેટલી દૂર સુધી ભાગી શકશો.'
સાઉથ એક્ટર જૂનિસર એનટીઆર અને નાગાર્જુને આરોપીઓના એન્કાઉન્ટર પર રિએક્શન આપતા કહ્યું, 'આજે સવારે હું જાગ્યો અને ન્યાય થઈ ગયો હતો.' નાગાર્જુન સહિત સાઉથના ઘણાં સેલેબ્સે આ ઘટના પર રિએક્શન આપ્યું છે.
This morning I wake up to the news and JUSTICE HAS BEEN SERVED!! #Encounter
I do NOT feel bad. I was always against capital punishment but I've changed my mind over the years. Rapists MUST hang! Thank you kcr garu for standing as an example to our nation and showing respect to women! @RaoKavitha@KTRTRSpic.twitter.com/DdXrDmyzSJ
અગાઉ આ ઘટના પર બોલિવૂડ એક્ટ્રેસ રકુલે આ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું હતું, 'દિશા બળાત્કારના કેસમાં કેવી પ્રતિક્રિયા આપવી તે મને સમજાતું નથી. આ એક હદ છે. અત્યારે એક રાષ્ટ્ર તરીકે આ અપરાધ આપણા બધાના મગજમાં ભય પેદા કરી રહ્યો છે, જેથી કોઈપણ આવા ભયાનક ગુના વિશે વિચારવાની હિંમત પણ કરશે નહીં.'
સલમાન ખાને આપ્યું હતું આવું રિએક્શન
એક્ટર સલમાન ખાને કહ્યું હતું કે બેટી બચાવો બેટી પઢાવો ફક્ત એક અભિયાન સુધી મર્યાદિત ન રહેવું જોઈએ. હવે સમય આવી ગયો છે કે આવા રાક્ષસોની સામે એકીકૃત
થઈને ઊભા રહીએ. ટીવી એક્ટર અનૂપ સોની, સિંગર માલિની અવસ્થી, ફિલ્મ ડિરેક્ટર કુણાલ કોહલી, એક્ટ્રેસ કાજલ અગ્રવાલ સહિત ઘણા સેલેબ્સે દિશા ગેંગરેપ-મર્ડર કેસ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.
આ હતી ઘટના
હૈદરાબાદમાં 27 અને 28 નવેમ્બરની રાતે ડોક્ટર દિશા સાથે ગેંગરેપ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આરોપીઓએ દિશાને નેશનલ હાઈવે-44 પર અન્ડરપાસની પાસે સળગાવી દીધી હતી. આ ઘટનાએ દેશના ઝકઝોળી દીધો. ઘટના પછી બોલિવૂડ સેલેબ્સે પણ આક્રોશ ઠાલવ્યો હતો.