વિક્કી કૌશલ-કૈટરીના કૈફ અને રણબીર કપૂર-આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા વચ્ચે અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેત્રી પત્રલેખાના લગ્નની ચર્ચા જોરશોરથી શરુ થઇ રહી છે. પત્રલેખા અને રાજકુમાર રાવ લાંબા સમયથી પાર્ટનર છે અને હવે બંને લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યાં છે.
અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેત્રી પત્રલેખાના લગ્નની થઈ રહી છે ચર્ચા
રાજકુમાર આ વર્ષે 10,11 અને 12 નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાશે
રાજકુમાર અને પત્રલેખા જયપુરમાં પારંપરિક અંદાજમાં કરશે લગ્ન
રાજકુમાર અને પત્રલેખાના લગ્ન આ વર્ષે થશે
એક રિપોર્ટ મુજબ, રાજકુમાર ચાલુ વર્ષે નવેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. તેના લગ્ન 10,11 અને 12 નવેમ્બરના રોજ થશે. હવે લગ્ન સાથે જોડાયેલ અપડેટ્સ સામે આવી છે. રાજકુમાર અને પત્રલેખા રાજસ્થાનના જયપુરમાં પારંપરિક સમારોહમાં લગ્ન કરવા જઇ રહ્યાં છે. એક રિપોર્ટ મુજબ, એક સૂત્રનું કહેવુ છે, તેઓ જયપુરમાં એક પારંપરિક અંદાજમાં લગ્ન કરી રહ્યાં છે. લગ્નના આમંત્રણ હજી પણ આપવામાં આવી રહ્યાં છે અને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. લગ્નમાં ફક્ત તેમના નજીકના લોકો સામેલ થશે. ઉલ્લેખનીય છે કે, રાજકુમાર રાવ-પત્રલેખા છેલ્લાં 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તેઓ જ્યારે એકબીજાને ડેટ કરી રહ્યાં હતા તે દરમ્યાન તેમનું બ્રેકઅપ થઇ ગયુ તેવી અફવા સામે આવી હતી.
પત્રલેખાને વર્ષ 2018માં તેમના લગ્ન અંગે સવાલ કર્યો ત્યારે પત્રલેખાએ કહ્યું હતુ, લગ્ન પહેલાં રાજકુમાર રાવ અને તેમને ઘણી બધી બાબતો પર ધ્યાન આપવાનુ છે, તેથી અત્યારે ઓછામાં ઓછા 6-7 વર્ષો સુધી તેમની કોઈ યોજના નથી. પરંતુ હવે લાગે છે કે બંનેએ લગ્ન કરવાનું મન બનાવી લીધુ છે. રિપોર્ટ મુજબ, નવેમ્બરની 10,11 અને 12 તારીખ છે, જેમાં લગ્નની ચર્ચા સૌથી વધારે છે. ઉલ્લેખનીય છે કે, રાજકુમાર રાવ ક્યારેય પોતાના અંગત જીવન વિશે ચર્ચા કરતા નથી. પરંતુ પત્રલેખાને લઇ પોતાના પ્રેમનો એકરાર કરવા માટે ક્યારેય પણ ગભરાયા નથી. ધ કપિલ શર્મા શો દરમ્યાન રાજકુમારે જણાવ્યું હતુ કે જ્યારે તેઓ પ્રથમ વખત પત્રલેખાને મળ્યાં હતા. તો તેમને થતુ હતુ કે તેમની ફિલ્મ લવ સેક્સ અને ધોખાના કેરેક્ટરની જેમ એક સસ્તો વ્યક્તિ છે. તેમણે કહ્યું, તે મારી સાથે વાતચીત નહોતી કરતી કારણકે તે વિચારતી હતી કે મારા કેરેકટરની જેમ હું પણ એક સસ્તો માણસ છું.