જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહી મની લોન્ડ્રિંગ કેસમાં તપાસ એજન્સીઓના નિશાને છે. નોરા અને જેકલીન વચ્ચે પણ કાયદાકીય વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ માત્ર એટલું જ નહીં, આજે અમે તમને જણાવીએ બોલીવુડની એવી અભિનેત્રીઓ વિશે જેણે કાયદાકીય ગુંચમાંથી પસાર થવુ પડ્યુ છે.
જેકલીન અને નોરા મની લોન્ડ્રિંગ કેસમાં તપાસ એજન્સીઓના છે નિશાને
આ બે સિવાય અન્ય અભિનેત્રીઓ પણ કાયદાકીય ગુંચમાંથી પસાર થઇ છે
નોરાએ જેકલીન ફર્નાન્ડીઝ પર માનહાનિનો દાવો કર્યો છે
જેકલીન ફર્નાન્ડીઝ અત્યારે 200 કરોડના છેતરપિંડી કેસમાં ફસાયેલી છે. ઈડીની ચાર્જશીટમાં અભિનેત્રીનુ નામ નોંધાયેલુ છે અને સતત પૂછપરછ થઇ રહી છે. પૂછપરછમાં જેકલીન સ્વીકાર કરી ચૂકી છે કે મહાઠગ સુકેશ ચંદ્રશેખર પાસેથી મોંઘા ગિફ્ટ લીધા હતા.
તપાસ એજન્સીઓ નોરા ફતેહીને પણ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા કેસમાં ઘણી વખત પૂછપરછ કરી ચૂકી છે. તો 200 કરોડના છેતરપિંડી કેસમાં નોરાએ જેકલીન ફર્નાન્ડીઝ પર માનહાનિનો દાવો કર્યો છે.
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બોલીવુડ ડ્રગ્સ કનેક્શન મામલે દીપિકા પાદુકોણનુ નામ સામે આવ્યું હતુ. દીપિકાની મુંબઈ સ્થિત ઈડીની ઓફિસમાં કલાકો પૂછપરછ થઇ હતી. આ દરમ્યાન રણવીર સિંહ તેમની સાથે ઉભા રહ્યાં હતા.
બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને તો એનસીબી અને ઈડીની ઓફિસના ઘણી વખત ચક્કર લગાવવા પડ્યા હતા. સુશાંત સુસાઈડ કેસમાં રિયાને આરોપી ઠેરવીને ધરપકડ કરી ઘણી વખત પૂછપરછ કરવામાં આવી હતી.
રકુલ પ્રીત સિંહને ટૉલીવુડ ડ્રગ્સ કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. હાલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સમન્સ મોકલીને રકુલને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. વર્ષ 2021માં પણ અભિનેત્રીની તસ્કરી અને મની લોન્ડ્રિંગ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી.