પુલવામા આતંકી હુમલાનો ઘાવ હજુ ભરાયો નથી. દરેક લોકો આતંકીઓને જવાબ આપવાની માગ કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં 'ધ કપિલ શર્મા શો'ના વિવાદોમાં ફસાયા બાદ કપિલ શર્માએ પુલવામા હુમલા પર નિવેદન આપ્યું છે. થોડાક દિવસો અગાઉ કપિલ શર્મા નવજોત સિંહ સિદ્ધૂનું સમર્થન કરતા નજરે જોવા મળ્યા હતો તો લોકોએ એને ઘેરવાનું શરૂ કરી દીધું. જ્યારે હવે કપિલના સુર બદલાઇ રહ્યા છે. શો ને લઇને થઇ રહેલી બબાલની વચ્ચે કપિલ શર્મા ખૂબ પરેશાન જોવા મળી રહ્યો છે.
તાજેતરમાં એમને પુલવામા આતંકી હુમલા પર ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે 'આતંક ફેલાવનાર લોકોને કેવી રીતે નિપટાવવામાં આવે, એને લઇને લોકોના અલગ અલગ મંતવ્ય હોઇ શકે છે, પરંતુ એનાથી આપણે પરેશાન થવું જોઇએ નહીં, આ દુખની ક્ષણમાં શહીદોના પરિવારના લોકોની સાથે મજબૂતી સાથે ઊભા રહીને અમે એમને સૌથી મોટી શ્રદ્ધાંજલિ આપી શકીએ છીએ. મને વિશ્વાસ છે કે આપણી સેના આતંકવાદીઓ અને પાકિસ્તાનમાં રહેલા એમના સપોર્ટ્સને કરારા જવાબ આપશે'
જણાવી દઇએ કે પુલવામા આતંકી હુમલા બાદ 'ધ કપિલ શર્મા શો'ના જજ નવજોત સિંહ સિદ્ધૂને હુમલાની ટીકા કરતા કહ્યું હતું કે 'કેટલાક લોકોના કારણે સમગ્ર મૂલ્કને ખોટો ગણાવી શકો છો.' સોશિયલ મીડિયા પર લોકોએ આ નિવેદનને પાકિસ્તાનની તરફદારી તરીકે લીધું હતું અને નવજોતને કપિલ શર્માના શો થી નિકાળવાની માગ ઊઠવા લાગી.
જ્યારે બીજી બાજુ તાજેતરમાં શર્માએ સિદ્ધૂના સપોર્ટમાં નિવેદન આપ્યું તો લોકોએ #BoycottKapilSharma દ્વારા કપિલના શો ને જ બોયકોટ કરવાનું સમર્થન કર્યું.