દેશમાં વધી રહેલાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 માર્ચ રાતે 8 વાગ્યે 21 દિવસ ભારતને લોકડાઉન કરવાનો આદેશ આપ્યો હતો. કોરોના વાયરસના ડરથી સામાન્ય જનતાની સાથે બોલિવૂડના સેલિબ્રિટિસ પણ ઘરમાં કેદ છે અને ઘરે રહીને આ ખતરનાક વાયરસ સામે જંગ લડી રહ્યાં છે. આ બધાંની વચ્ચે બોલિવૂડના જાણીતા અભિનેતા કમલ હસને કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના ઈલાજ માટે પોતાના ઘરને જ હોસ્પિટલમાં પરિવર્તિત કરવાની રજૂઆત કરી દીધી છે.
દેશમાં કોરોનાના હાહાકારે બધાંને હચમચાવી દીધા છે
ત્યારે બોલિવૂડના આ અભિનેતાએ કરી એક ખાસ જાહેરાત
પોતાના ઘરને જ હોસ્પિટલ બનાવવાની સરકારને કરી રજૂઆત
કમલ હસને એક ટ્વિટ કરીને કહ્યું કે, તેમની પાર્ટી મક્કલ નીધિ માઇમ (MNM)માં ડોક્ટરોની મદદથી તે પોતાના ઘરને કોરોના વાયરસ સંક્રમિત રોગીઓના ઇલાજ માટે અસ્થાયી સમય માટે હોસ્પિટલમાં પરિવર્તિત કરવા માંગે છે અને તેમણે એમ પણ કહ્યું કે સરકાર જો આવું કરવાની મંજૂરી આપે છે તો તે આવું કરવા તૈયાર છે.
இந்த நெருக்கடி நேரத்தில் எளியோருக்கு பணி செய்ய மக்கள் நீதி மய்யத்தில் இருக்கும் மருத்துவர்களை கொண்டு, என் வீடாக இருந்த கட்டிடத்தை, தற்காலிகமாக எளிய மக்களுக்கான மருத்துவ மய்யமாக்கி,மக்களுக்கு உதவ நினைக்கிறேன்.அரசின் அனுமதி கிடைத்தால்,அதை செய்ய தயாராக காத்திருக்கிறேன்.
உங்கள் நான்
દેશમાં 21 દિવસનો લોકડાઉન છે અને મંગળવારે પીએમ મોદીએ જાહેરાત કરી છે કે સોશિયલ ડિસ્ટેશિંગ આ બિમારીનો એક માત્ર વિકલ્પ છે. જે ઝડપથી ફેલાઇ રહી છે. કેટલાક દિવસ પહેલા કમલ હસને વર્કર્સની મદદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓપન લેટર લખીને મદદ માંગી હતી અને તેમણે આ લેટર ટ્વિટર પર પણ શેર કર્યો હતો.
તમને જણાવી દઇએ કે, કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અને આ મહામારી હાલ પૂરી દુનિયામાં ફેલાઇ ગઇ છે અને ભારતમાં જ ગત 24 કલાકમાં આ સંક્રમણના 95 નવા કેસ સામે આવ્યા છે. જેનાથી હવે ભારતમાં સંક્રમિતોની સંખ્યા 649 થઇ ગઇ છે અને 16 લોકોની મૃત્યુ થઇ છે.