સુશાંત સિંહ રાજપૂતે હતાશાને કારણે જયારે મોતને વ્હાલુ કર્યુ છે ત્યારે સમગ્ર બોલિવૂડમાંથી અલગ અલગ નિવેદન આવી રહ્યાં છે. દિગ્ગજ કલાકારોએ તેને શ્રદ્ધાંજલિ આપી છે ત્યારે કંગના રનૌતે મોટુ નિવેદન આપ્યું છે. કંગનાએ બોલિવૂડના કેટલાક લોકો ઉપર આંગળી ઉઠાવી છે.
કંગનાનુ ચોંકાવનારુ નિવેદન
સમગ્ર બોલિવૂડ પર લગાવ્યો આક્ષેપ
સુશાંતની આત્મહત્યા નહી હત્યા થઇ છે
કંગનાએ સુશાંતસિંહના મોત પાછળ બોલિવૂડને જવાબદાર કહ્યું છે. કંગનાએ કહ્યું કે, ગલીબોય જેવી વાહિયાત ફિલ્મને એવોર્ડ મળે છે ત્યારે છીછોરે જેવી ફિલ્મને એવોર્ડ ન મળતા સુશાંત ડિપ્રેશનમાં હતો..તે સતત વિચારતો રહેતો હોવાના કારણે તેણે આ પગલુ ભર્યું હોવાનું કંગનાએ નિવેદન આપ્યું છે.
કંગનાએ વધુમાં કહ્યું કે, કેટલાક લોકો છે જે તમને એવુ સ્વીકારવા માટે મજબૂર કરી દે કે, તમે નબળા મગજના છો તમે બોલિવૂડમાં નહી ચાલો પરંતુ સુશાંત તો ટોપર હતો તેને શા કારણે એવુ માનવા પર મજબૂર કર્યો કે તે નબળા મગજનો છે.
એક એક્ટર છેલ્લા ઘણા સમયથી પોતાના સોશિયલ મીડિયા પર લખી રહ્યો હતો કે, પ્લીઝ મારી ફિલ્મો જુઓ, મારા બોલિવૂડમાં કોઇ ગોડફાધર નથી મને આ ઇન્ડસ્ટ્રીમાંથી કાઢી દેવામાં આવશે. સુશાંત કેટલો હતાશ હતો તે તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી જાણી શકાય છે. કેટલાક પત્રકાર સુશાંતને કહી રહ્યા હતા કે તે નશાથી એડિક્ટ છે, તે ખરાબ માણસ છે તો સંજય દત્તના એડિક્શન તો તમને ક્યુટ લાગી રહ્યા છે.
શેખર કપૂરે પણ સુશાંતની મોત પર ખુલાસો કરતા ટ્વિટ કરી હતી કે, "મને ખબર છે તમે કોના દ્વારા હેરાન થઇ રહ્યા હતા, તે લોકો તમને એટલા હેરાન કરતા હતા કે તમે મારા ખભા પર માથુ મૂકીને રડતા હતા. તમારી વેદના શું હતી તે મને ખબર છે."
I knew the pain you were going through. I knew the story of the people that let you down so bad that you would weep on my shoulder. I wish Iwas around the last 6 months. I wish you had reached out to me. What happened to you was their Karma. Not yours. #SushantSinghRajput
શેખર કપૂરના આ ટ્વિટ પરથી એવી શંકા ઉભી થાય છે કે ખરેખર આ સમગ્ર બાબત નેપોટીઝમના કારણે હતી અથવા કોણ વ્યક્તિઓ છે કે જે સુશાંતને હેરાન કરી રહ્યા હતા. હાલ તો આ બાબત પર ખાસ કોઇ ખુલાસો નથી થયો પરંતુ નજીકના સમયમાં નેપોટીઝમ જ સુશાંતના મોતનુ કારણ સાબિત થાય તો નવાઇ નહી.