બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ફરીવાર એક મોટો ઝટકો લાગ્યો છે. જાણીતા ફિલ્મ ડિરેક્ટર રજત મુખર્જીનું ગઈકાલે રાતે જયપુરમાં નિધન થઈ ગયું છે. એવું જાણવા મળ્યું છે કે, એપ્રિલમાં તેમને કિડની સંબંધી પરેશાની થઈ હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. રજત મુખર્જીના નિધનના સમાચારે ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી છે. આ સમાચાર સાંભળી અભિનેતા મનોજ બાજપેયી આઘાતમાં છે. તેણે સોશિયલ મીડિયા પર ડિરેક્ટરને શ્રદ્ધાજંલિ આપી છે.
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ફરીવાર એક મોટો ઝટકો લાગ્યો
જાણીતા ફિલ્મ ડિરેક્ટર રજત મુખર્જીનું નિધન
મનોજ બાજપેયીએ ટ્વિટ કરી શ્રદ્ધાજંલિ પાઠવી
રજત મુખર્જી મુંબઈમાં રહેતા હતા પરંતુ લોકડાઉનને કારણે તેઓ પોતાના શહેર જયપુર જતા રહ્યાં હતા. તેમને કિડની સંબંધી બીમારી હતી અને સાથે જ તેમને ફેફસામાં પણ ઈન્ફેક્શન હોવાની વાત સામે આવી છે. તેમણે પ્યાર તૂને ક્યા કિયા, રોડ, લવ ઈન નેપાલ અને ઉમ્મીદ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી હતી.
My friend and director of Road ,Rajat Mukherjee passed away in the early hours today in Jaipur after a long battle with illness!!! Rest in peace Rajat !!Still can’t believe that we will never meet or discuss our work ever again.khush reh jaha bhi reh.🙏🙏🙏
રજત મુખર્જી માટે મનોજ બાજપેયીએ ટ્વિટ કરીને લખ્યું- મારા મિત્ર અને રોડના ડિરેક્ટર રજત મુખર્જીનું આજે વહેલી સવારે લાંબી બીમારીને કારણે નિધન થઈ ગયું છે. રજનની આત્માને શાંતિ મળે. છતાં વિશ્વાસ નથી થતો કે અમે ફરી ક્યારેય મળી શકીશું નહીં કે અમારા કામ વિશે ચર્ચા નહીં કરી શકીએ. ખુશ રહો જ્યાં પણ રહો.
Just got news about the passing away of a dear friend. Rajat Mukherjee director of Pyaar Tune Kya Kiya and Road was a friend from our early, early struggles in Bombay. Many meals, many bottles of Old Monk consumed. Many more to consume in another world. Will miss you dear friend.
રજત મુખર્જીના નિધન પર હંસલ મહેતાએ પણ ટ્વિટ કર્યું છે. અત્યારે એક ખાસ મિત્રના નિધનના સમાચાર મળ્યા. રજત મુંબઈમાં અમારા શરૂઆતના સંઘર્ષના મિત્ર હતા. ડિનર, ઓલ્ડ મોન્કની બોટલો ખતમ થઈ અને હવે બીજી દુનિયામાં મળીશું. પ્રિય મિત્ર તૂ હમેશાં યાદ રહીશ.