થોડાક દિવસ પહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સંત કૃષ્ણસ્વરૂપ સ્વામીએ જાહેરમાં માસિક ધર્મને લઈને નિવેદન આપ્યું હતું. અને તેમના આ નિવેદન બાદ લોકોએ તેમની ખાસ્સી ટીકા કરી હતી પરંતુ હવે એક બોલિવૂડના ડિરેક્ટરે તેમના પર પ્રતિક્રિયા આપી છે.
અનુભવ સિંહા માસિક ધર્મ મુદ્દે આપી પોતાની પ્રતિક્રિયા
સ્વામીએ આપ્યું હતું શરમજનક નિવેદન
હવે લોકોએ તેમના પર ટિપ્પણી શરુ કરી
ગુજરાતના એક ધર્મગુરુએ કહ્યું છે કે માસિક ધર્મના સમયમાં પુરુષો માટે ભોજન બનાવતી મહિલાઓના હાથનું જમીએ તો આગલા જન્મમાં બળદનો અવતાર મળે. આ નિવેદન સ્વામિનારાયણ મંદિરથી જોડાયેલા કૃષ્ણસ્વરૂપ સાધુએ આપ્યું છે. અને આ નિવેદન બાદ સ્વામી ખુબ ચર્ચામાં આવ્યાં છે.
જ્યારે સ્વામીના આ નિવેદન પર બોલિવૂડના ડિરેક્ટર અનુભવ સિંહાએ ટ્વીટ કરી આ વાત પર પોતાની પ્રતિક્રિયા આપી છે. અને કહ્યું કે સ્વામીની કોઈ ભૂલ નથી આ બધી આપણી ભૂલ છે. અનુભવ સિંહાના આ ટ્વીટ બાદ લોકો સતત રીટ્વીટ કરી રહ્યાં છે