મુંબઇ: ભારતીય ફિલ્મ અને મનોરંજન જગતના એક પ્રતિનિધિમંડળે મંગળવારે પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. મનોરંજન ઉદ્યોગ માટે GSTના દર ઓછા અને એક સમાન રાખવા માટે માગ કરી. અભિનેતા અક્ષય કુમાર અજય દેવગણ ફિલ્મ નિર્માતા કરણ જોહર રાકેશ રોશન સેન્સર બોર્ડ પ્રમુખ પ્રસૂન જોશી અને પ્રોડ્યૂસર ગિલ્ડ ઓફ ઇન્ડિયાના અધ્યઓક્ષ સિદ્ધાર્થ રોય કપૂર મોદીને મળનાર પ્રતિનિધિમંડળનો ભાગ હતા.
PIB દ્વારા જારી એક નિવેદન પ્રમાણે પ્રતિનિધિમંડળે મોદીને ભારતમાં મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં વિકાસની વ્યાપક સંભાવનાઓની રૂપરેખા પ્રસ્તુત કરી અને કહ્યું કે આ ક્ષેત્ર નજીકના ભવિષ્યમાં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા વાળો દેશ બનાવવામાં પ્રધાનમંત્રીના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન કરી શકે છે.
ફિલ્મ જગતના સભ્યોએ ભારતના મનોરંજન ઉદ્યોગ માટે જીએસટી દર ઓછા અને એક સરખા રાખવાની માગ કરી અને મુંબઇને મનોરંજનની વૈશ્વિક રાજધાનીના રૂપમાં વિકસિત કરવા અને એ દિશામાં વિવિધ ઉપાય કરવા અને સક્રિય દ્રષ્ટિકોણ અપનાવવાની આવશ્યકતા પર ભાર આપ્યું.
It was enlightening to hear the honourable Prime Minsiter @narendramodi share his views on our Industry’s soft power status and the strength of our cinema...he gave our media and entertainment representatives a patient and solid hearing....thank you Sir!! pic.twitter.com/BIl8ubQwYa
મોદીએ કહ્યું ભારતીય મનોરંજન ઉદ્યોગ દુનિયાભરમાં લોકપ્રિય છે. આ ઉદ્યોગ વિશ્વમાં ભારતની વધતી પ્રતિષ્ઠા નો એક મહત્વપૂર્ણ ભાગ છે. એમને પ્રતિનિધિમંડળને આશ્વાસન આપ્યું કે કેન્દ્ર સરકાર મીડિયા અને મનોરંજન ઉદ્યોગની સાથે છે અને એ સૂચનો પર સકારાતમ્ર રૂપથી વિચાર કરશે. આ પહેલા પણ પ્રતિનિધિમંડળે ઓક્ટોબરમાં મોદી સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી હતી.