કોરોના ફિલ્મી એક્ટર્સની સાથે પરિવાર પર પણ કહેર વર્તાવી રહ્યો છે. હાલમાં જ નીલ નીતિન મુકેશ અને સમગ્ર પરિવાર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ઘરમાં ક્વોરન્ટાઈન થયા છે.
કોરોનાની ઝપેટમાં આવ્યા નીલ નીતિન મુકેશ
સમગ્ર પરિવારના સભ્યો કોરોનાની ઝપેટમાં
ઘરમાં જ થયા ક્વોરન્ટાઈન, જરૂરી ઉપાયો શરૂ
નીલ નીતિન મુકેશે પોતાના અને સમગ્ર પરિવારના કોરોના સંક્રમિત થયાની જાણકારી પોતે સોશ્યલ મીડિયાની મદદથી આપી છે. તેઓએ એક પોસ્ટ શેર કરી છે અને કહ્યું છે કે પરિવારના દરેક લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. એવામાં નીલ નિતિન મુકેશનો પરિવાર દરેક પ્રકારના પ્રોટોકોલ્સનું પાલન કરી રહ્યો છે અને જરૂરી દવાઓ પણ લઈ રહ્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર લખી પોસ્ટ
નીલ નિતિન મુકેશે પોતાના અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે દરેક જરૂરી સાવધાનીની સાથે ઘરમાં રહેવું, દુર્ભાગ્યથી મારા પરિવારના સભ્યો અને મને કોરોના સંક્રમણ થયું છે. અમે દરેક જરૂરી પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છીએ અને સાથે ડોક્ટરની સલાહ અનુસારની દવા લઈ રહ્યા છીએ. અમે તમારા દરેકના પ્રેમ અને શુભકામનાઓ માટે ધન્યવાદ કરીએ છીએ. પોતાનો ખ્યાલ રાખો અને સુરક્ષિત રહો.
જાણો પોસ્ટના કેપ્શનમાં મુકેશે શું લખ્યું છે
આ પોસ્ટની સાથે નીલ નિતિન મુકેશે કેપ્શનમાં લખ્યું છે કે તમારા પ્રેમ અને આર્શીવાદની જરૂર છે. મહેરબાની કરીને સ્થિતિને હળવાશમાં ન લો. સોશ્યલ મીડિયા પર નીલ નિતિન મુકેશની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. અભિનેતાને અનેક ફેન્સ અને સોશ્યલ મીડિયા યૂઝર્સ તેમની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાથે જ કમેન્ટ કરીને નીલ નિતિન મુકેશ અને તેમના પરિવારના સાજા થવાની કામના પણ કરાઈ રહી છે.
કોરોનાનો સૌથી વધુ આતંક મહારાષ્ટ્રમાં
કોરોના વાયરસની બીજી લહેર મહારાષ્ટ્રમાં સૌથી વધારે જોવા મળી રહી છે. સામાન્ય લોકો તો ઠીક તમામ પ્રોટેક્શનમાં રહેનારા અનેક સેલેબ્સ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ગયા મહિને રણબીર કપૂર, કાર્તિક આર્યન, આલિયા ભટ્ટ, ગોવિંદા, આર માધવન, બપ્પી લહેરી, અક્ષય કુમાર, આમીર ખાન, કેટરિના કેફ અને વિક્કી કૌશલ સહિતના અનેક કલાકારો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે.