બૉલીવુડના લેજેન્ડરી એક્ટર અને કોમેડિયન જગદીપ જાફરીનું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. વધતી ઉંમરની સાથે થનારી તકલીફોને લઇને તેમનું અવસાન થયું છે. તેમને સાચુ નામ સૈયદ ઇશ્તિયાક અહમદ જાફરી હતું. તેમનો જન્મ 29 માર્ચ 1929એ થયો હતો. જગદીપે 400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ વર્ષ 1975માં આવેલી ફેમસ ફિલ્મ શોલેમાં સૂરમા ભોપાલીના પાત્રથી ઘણા ચર્ચામાં રહેવા સફળ રહ્યા હતા.
કોમેડિયન જગદીપ જાફરીનું નિધન
જગદીપે 400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું
સુરમા ભોપાલી પાત્રને મળી હતી ખૂબ લોકપ્રિયતા
બૉલિવુડના ફેમસ એક્ટર, કોમેડિયન જગદીપનું બુધવારે 81 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ અનેક બીમારીઓથી પીડિત હતા. ગુરૂવારેની સવારે તેમની અંતિમ વિધી કરવામાં આવશે. જણાવી દઇએ કે, જગદીપનું પુરૂ નામ સૈયદ ઇશ્તિયાક અહમદ ઝાફરી હતું.
આ સિવાય ફિલ્મ પુરાના મંદિરમાં મચ્છરના પાત્ર અને અંદાજ અપના અપનામાં સલમાન ખાનના પિતાના રોલમાં પણ તેમણે દર્શકોને જબરદસ્ત મનોરંજન કર્યું હતં. તેમણે એક ફિલ્મનું નિર્દેશન કર્યું હતું જેનું નામ સૂરમા ભોપાલી હતું. આ ફિલ્મમાં લીડ રોલ પણ તેમણે જ નિભાવ્યો હતો.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 8, 2020
જગદીપે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત 1951માં બીઆર ચોપડાની ફિલ્મન 'અફસાના'થી કરી હતી. આ ફિલ્મમાં જગદીપે બાળ કલાકારમાં કામ કર્યું હતું. ત્યારબાદ તેમણે અનેક ફિલ્મોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ કામ કર્યું જેમાં ગુરૂ દત્તની આરપાર, બિમલ રૉયની દો બીઘા જમીન જેવી શાનદારી ફિલ્મો સામેલ છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 મહિનામાં જોઈએ તો જગદીપ પાંચમી એવી બૉલીવુડ હસ્તી છે જેણે દુનિયાને અલવિદા કહી દીધી. અગાઉ રિશી કપૂર, ઈરફાન ખાન, સુશાંત સિંહ રાજપૂત, સરોજ ખાનનું નિધન થતાં બૉલીવુડમાં શોકની લાગણી ફરી ગઈ હતી. આવામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જગદીપના નિધનથી વધુ એક ઝટકો લાગ્યો છે.
અજય દેવગણે શોક વ્યક્ત કર્યો
જગદીપના નિધનના સમાચાર મળથા જ અજય દેવગણે પોતાના ટ્વિટર પર લખ્યું, 'જગદીપ સાહેબના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. તેમને સ્ક્રીન પર જોઇને હંમેશા ખુશી થતી. તેમણે દર્શકોને આનંદથી ભર્યા. જાવેદ અને તેમના પરિવારના તમામ સભ્યો પ્રત્યે મારી હૃદયથી સંવેદના. જગદીપ સાહેબની આત્મા માટે પ્રાર્થના.'
Heard the sad news of Jagdeep Saab’s demise. Always enjoyed watching him on screen. He brought so much joy to the audience. My deepest condolences to Jaaved and all members of the family. Prayers for Jagdeep Saab’s soul🙏
જૉની લીવરે પોતાનું દુઃખ વ્યક્ત કરતા ટ્વિટ પર લખ્યું કે, મારી પહેલી ફિલ્મ અને જ્યારે મે પહેલી વાર કેમેરા ફેસ કર્યો તે 'યે રિશ્તા ના ટૂટે' જગદીપ ભાઈ જેવા લેજેન્ડની સાથે હતી. અમે તમને ખુબ મિસ કરીશું. તેમને આત્માને શાંતિ મળે. અમારી પ્રાર્થના અને સંવેદનાઓ પરિવારની સાથે છે.
My first film & the first time I ever faced the camera, was in the film #yehrishtanatoote with the legend himself #Jagdeep bhai. We will miss you...May his soul rest in peace 🙏🏽 Our prayers & deepest condolences to the family. pic.twitter.com/uhBjYSZdVe