મલાઇકા અરોરા અને અરબાઝ ખાનના ડિવોર્સને 2 વર્ષ થઇ ચુક્યા છે. આ બંનેએ ક્યારે પણ એમના ડિવોર્સની વાત ખુલીને કરી નથી. પરંતુ તાજેતરમાં જ આ બાબતે અરબાઝ ખાને મૌન તૌડ્યું છે.
મુંબઇ: બૉલીવુડમાં ક્યારેક સૌથી વધારે લવિંગ કપલ કહેવાતું મલાઇકા અરોરા અને અરબાઝ ખાને 2 વર્ષ પહેલા ડિવોર્સ લીધા હતા. લાંબા સમય એકબીજાની સાથે રહ્યા બાદ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો. ડિવોર્સ બાદ બંનેએ ક્યારે પણ આ મામલે ખુલીને વાત કરી નથી. પરંતુ તાજેતરમાં અરબાઝે આની પર મૌન તોડ્યું છે.
તાજેતરમાં જ અરબાઝ ખાનેસ અનુપમા ચોપડાના શો માં પહોંચ્યા હતા. જ્યાં એને પોતાની લાઇફથી જોડાયેલી દરેક ચીજ જેમ કે ફેમિલી, કામ અને અને એક્સ વાઇફ મલાઇકા અરોરા માટે વાત કરી. મલાઇકા સાથે ડિવોર્સના પ્રશ્ન પર અરબાઝે પહેલી વખત વાત કરી છે. એને કહ્યું, 'બધું યોગ્ય ચાલી રહ્યું હતું પરંતુ એક દિવસ તૂટી ગયા. જો કંઇ ખોટું નછી તો સારું એ છે કે બંને લોકો પોતાનું જીવન જાતે ચલાવવું જોઇએ અને આ નિર્ણય લેવો જોઇએ.'
આ શો માં અરબાઝે પોતાના લગ્ન માટેની વાત કરી. એને કહ્યું કે, 'જરૂરથી હું બીજા લગ્ન કરીશ. લોકો મરતા પહેલા સારી રીતે જીવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ સમય સાથે બદલાવું જરૂરી છે.'
નોંધનીય છે કે હાલ મલાઇકા અરોર અને એક્ટર અર્જુન કપૂરના અફેરની ખૂબ જોરદાર ચર્ચા ચાલી રહી છે. બંનેને ઘણી જગ્યાઓ પર સ્પૉટ કરવામાં આવે છે.