બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર હાલમાં તેની આગામી ફિલ્મ 'પૃથ્વીરાજ'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ સાથે જોડાયેલા પ્રમોશન ઇવેન્ટમાં ખિલાડી કુમારે ઘણા મહત્વના મુદ્દાઓ પર વાત કરી હતી, જેમાંથી એક વાત બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રી વચ્ચેની ચર્ચા હતી.
અભિનેતા અક્ષય કુમાર ભાષાના મામલે આપ્યો જવાબ
અંગ્રેજો ન બનો અને ભાગલા પાડવાનું બંધ કરો- અક્ષય
15 લાખ બજેટના ફિલ્મોમાં પણ કામ કર્યું
બોલિવૂડ vs ટોલીવૂડ
છેલ્લા કેટલાક દિવસોથી બોલીવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રી વચ્ચે tweet યુદ્ધ ચાલી રહ્યું છે. સાઉથના અભિનેતા કિચ્ચા સુદીપે હિન્દી ભાષાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ પછી અજય દેવગને ટ્વિટર પર તેને જડબાતોડ જવાબ આપ્યો હતો. બસ ત્યારે જ સાઉથ સિનેમા અને બોલિવૂડ વચ્ચે ચર્ચા શરૂ થઇ ગઇ.અક્ષય કુમારે સાઉથની ફિલ્મોની હિન્દી રિમેક બનાવી છે. તેણે દરેક ઉદ્યોગને ટેકો આપ્યો છે અને તેના વિકાસનો એક ભાગ રહ્યો છે. આખું ઇન્ડિયા આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ફિલ્મો હિટ થઇ રહી છે, પરંતુ ભાષા પર વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યો. વાતચીતમાં અક્ષય કુમારે કહ્યું હતું કે તે કોઇ પણ પ્રકારના ભાગલામાં માનતો નથી.
દેશના ભાગલા પાડવાનું બંધ કરો
અક્ષય કુમાર કહે છે કે ચાલો આ વિશે હું કહી જ દઉં છું, દેશના ભાગલા ન પાડો, અહીં તમે દક્ષિણ ભારત કે ઉત્તર ભારત કે બોલિવૂડ કહો. જો તે બોલતા હોય, તો તમે શા માટે બોલો છો ? તેઓ શું કહે છે તેનાથી મને કોઈ મતલબ નથી. મને વ્યક્તિગત રીતે લાગે છે કે આ ભારતીય ફિલ્મ ઉદ્યોગ છે. હું ફક્ત એટલું જ ઇચ્છું છું કે તેની ફિલ્મ ચાલે અને આપણી પણ. આજે જે થઈ રહ્યું છે તે સ્વતંત્રતા સમયે પણ થયું હતું. અંગ્રેજોએ પણ એમ જ કર્યું. તેમણે ભારતને પૂર્વ ભારત, દક્ષિણ ભારત, ઉત્તર ભારતમાં વિભાજિત કર્યું. તમે તમારા દેશ માટે શું કરી શકો છો અને તમે દેશને શું આપી શકો છો તે વિશે વિચારો. તેઓ કાઇંક કહી રહ્યા છે, આપણે આપણી રીતે બોલીએ છીએ, આ બધી બાબતોમાં શું રાખ્યું છે. કોઈ ગમે તે કહે, આપણે બધા એક ઉદ્યોગના છીએ. હું ઇચ્છું છું કે તેઓ પણ આગળ આવે આપણે પણ આગળ આવીએ તો જ બધા ને ફાયદો થશે. "
આજની ફિલ્મોના બજેટ 250 થી 400 કરોડ
મને યાદ છે કે જ્યારે આખી ફિલ્મનું બજેટ 15 લાખ રૂપિયા હતું ત્યારથી હું ફિલ્મોમાં કામ કરી રહ્યો છું અને આજે 250 થી 400 કરોડમાં ફિલ્મો બનવા લાગી છે. આ બધામાં તેમનો પણ હાથ છે અને આપણે પણ સામેલ છીએ. લોકોએ સમજવું જોઈએ કે, આ દિવસોમાં ભાગલા પાડવાની જે વાત શરૂ થઈ છે તે દુર્ભાગ્યપૂર્ણ અને ખૂબ જ નિરાશાજનક બાબત છે. અમારા ભાગલા પાડવાનું બંધ કરો. તેની પાછળ ચોક્કસપણે કોઈ એક હાથ છે જે બધાને અલગ કરવા માંગે છે. આપણે તેનાથી સજાગ રહેવાની જરૂર છે.