સ્વરા ભાસ્કર અવારનવાર પોતાના ટ્વિટ્સને લઇને ખૂબ જાણીતી છે. તાજેતરમાં જ સ્વરા ભાસ્કરનું એક ટ્વિટ ખૂબ જ વાયરલ થઇ રહી છે. આ ટ્વિટમાં એને પોતાના રાજીનામાની જાહેરાત કરી દીધી છે.
બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પોતાની દમદાર એક્ટિંગથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ ઊભી કરી છે. ફિલ્મો ઉપરાંત સ્વરા ભાસક્ર ટ્વિટ્સ માટે ખૂબ જાણીતી છે. સોશ્યલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી સ્વરા ભાસ્કર સમકાલીન મુદ્દાઓ પર પોતાના મંતવ્યો વ્યક્ત કરતી રહે છે. પરંતુ તાજેતરમાં એને પોતાના રાજીનામાની જાહેરાત કરી દીધી છે. આ વાતની જાણકારી સ્વરાએ ખુદ ટ્વિટ કરીને આપી છે. સ્વરા ભાસ્કરના રાજીનામાને લઇને એનું ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યું છે.
🤣🤣🤣🤣🤣🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 im resigning! Yeh raitaa mere bas ka nahi hai! 🙈🤦🏾♀️ https://t.co/kSJTdpjZOG
વાસ્તવમાં ભારતનો જીડીપી ગ્રોથ ઘટતા અને વિકાસ દરને જોતા એક ટ્વિટર યૂઝરે સ્વરા ભાસ્કરને કહ્યું હતું કે એની જવાબદારી સ્વરાએ લેવી જોઇએ, કારણ કે સ્વરા ભાસ્કર દેશના દરેક મુદ્દા પર પોતાનું મંતવ્ય રજૂ કરે છે. એની પર જવાબ આપતા સ્વરા ભાસ્કરે ટ્વિટ કર્યું, જેમાં એને લખ્યું, 'હું મારું રાજીનામું આપી રહી છું, કારણ કે આ સ્થિતિ મારા હાથમાં નથી.' જણાવી દઇએ કે ભારતની જીડીપી છેલ્લા છ વર્ષોમાં સૌથી નીચલા સ્તર પર છે. એની સાથે જ કૃષિ વિકાસ દર પણ ઘટીને 2 ટકા થયો છે.
સ્વરા ભાસ્કરના કરિયરની વાત કરીએ તો એ જલ્દીથી ફિલ્મ શીરકોર્મામાં નજરે આવશે. આ ફિલ્મમાં એની સાથે શબાના આઝમી અને દિવ્યા દત્તા મુખ્ય ભૂમિકામાં નજરે આવશે. ફિલ્મને ફરાઝ આરિફ અંસારીના નિર્દેશનમાં તૈયાર કરવામાં આવશે. જો કે હજુ એની રિલીઝ ડેટ સામે આવી નથી. તો બીજી બાજુ સ્વરા ભાસ્કરની ગત ફિલ્મોની વાત કરીએ તો એને પોતાની શાનદાર એક્ટિંગથી વીરે દી વેડિંગ, તનુ વેડ્સ સમનુ, નિલ બટે સન્નાટા અને રાંઝણા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.