બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે રવિવારે પાકિસ્તાની મૂળના ભારતીય ગાયક અદનાન સામીને પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત પર સરકાર પર નિશાન સાધ્યું હતું. નાગરિકતા સંશોધન કાયદા પર તીખો વલણ જાહેર કરતાં સ્વરા ભાસ્કરે ઈન્દોરમાં યોજાયેલી રેલીમાં કહ્યું, આ દેશમાં શરણાર્થીઓને નાગરિકતા અને ઘૂસણખોરોને પકડવાની કાયદાકીય પ્રક્રિયા પહેલાંથી છે. એટલે જ તો અદનાન સામીને ભારતીય નાગરિકતા આપવામાં આવી અને હવે પદ્મશ્રી માટે પસંદગી કરવામાં આવી છે.
પદ્મશ્રી માટે અદનાન સામીની પસંદગી
સ્વરા ભાસ્કરે કહ્યું, અમને ગાળો અને પાકિસ્તાનીઓને એવોર્ડ
સ્વરા ભાસ્કરે રેલી દરમિયાન કહ્યું કે, આ કાયદો બનાવીને બંધારણ સાથે મોટો વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. ઈન્દોરમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં એકત્રિત થયેલાં હજારો લોકોની વચ્ચે સ્વરાએ કહ્યું, ‘તમે અમને ગાળો આપો, અમને ચપ્પલ મારો, અમારા પર ટિયર ગેસના સેલ છોડો અને એક પાકિસ્તાનીને પદ્મશ્રી આપો’. આ જ તો સરકારની સ્થિતિ છે કે, તે અમને ટુકડે-ટુકડે ગેંગના સભ્ય, એન્ટીનેશનલ અને ખબર નહીં શું-શું કહે છે.
Absolutely fantastic speech by @ReallySwara. Her every word makes sense, which is exactly why her words rile up Brainless Bhakts so much pic.twitter.com/NbJg8LAMms
સ્વરાએ આગળ કહ્યું, સીએએ અને એનઆરસી વિશે કહેવામાં આવી રહ્યું છે કે, દેશમાં ઘૂસણખોરો ઘૂસી ગયા છે, પરંતુ આ ઘૂસણખોરો અમને તો ક્યાંય દેખાતા નથી. સમસ્યા એ છે કે, ઘૂસણખોરો સરકારના મગજમાં ઘૂસી ગયા છે, કારણ કે સરકારને પાકિસ્તાન પ્રત્યે એકતરફો પ્રેમ થઈ ગયો છે. જેથી સરકારને દરેક જગ્યાએ પાકિસ્તાન જ દેખાય છે.
સ્વરાએ રેલીમાં કર્યા મોદી સરકાર પર પ્રહારો
સ્વરાએ કહ્યું કે, ‘મારી નાની જેટલીવાર હનુમાન ચાલીસા નહોતી વાચતી તેના કરતાં તો સરકાર વધારે પાકિસ્તાનનું નામ જપે છે’. સ્વરા ભાસ્કરનો આ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહી છે કે, અમને દેશભક્તિ અને રાષ્ટ્રવાદની એવી વ્યાખ્યા કહેવામાં આવી રહી છે કે આપણે ભૂલી ગયા કે દેશના નાગરિકોની વફાદારી તે દેશની ધરતી માટે હોય છે, બંધારણ તરફ હોય છે. કોઈ સરકાર પ્રત્યે નહીં.