CAA અને NRCને લઇને દેશભરમાં થઇ રહેલ પ્રદર્શન વચ્ચે બૉલીવુડના કેટલાક સ્ટારે આઝાદ ક્રાંતિ મેદાનમાં વિરોધ દાખવ્યો હતો. આ વિરોધમાં એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પણ સમર્થન આપ્યું. સ્વરાને એક ખાનગી ચેનલ દ્વારા પૂછવામાં આવ્યું કે શું આ પ્રદર્શનોથી શું ફાયદો મળે છે?
હું CAA અને NRCનું સમર્થન નથી કરતીઃ સ્વરા
અનેક બૉલીવુડ સેલિબ્રિટિ મુંબઇ વિરોધમાં હાજર રહી
સરકાર શા માટે મહત્વના મુદ્દાઓ પર વાત નથી કરી રહી?
તેના જવાબમાં સ્વરાએ કહ્યું કે આપણે ઘણા દેશોમાં જોયું છે કે અહિંસક પ્રદર્શનોથી સરકારોના વલણમાં ફેરફાર આવ્યો છે. અહિંસક પ્રદર્શન કરવું આપણો બંધારણીય અધિકાર છે. સરકારે કલમ 144 લગાવી, ઇન્ટરનેટ બંધ કરી, પોલીસની હિંસા દ્વારા આપણા અધિકારોને છીનવા ન જોઇએ. આપણો દેશ આ જ અહિંસક પ્રદર્શનોને લઇને આઝાદ થયો છે.
અનેક બૉલીવુડ સેલિબ્રિટિ મુંબઇ વિરોધમાં હાજર રહી
તેમણે કહ્યું કે હું CAA અને NRCનું સમર્થન નથી કરતી કારણ કે આ કાયદો આપણાં ભારતના હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો બંધારણીય પ્રયત્ન છે. આ કાયદો ન માત્ર બંધારણ વિરોધી છે પરંતુ આ ભારતની એક અલ્પસંખ્યક સમુદાય વિરોધ ભેદભાવ ઉત્પન્ન કરે છે. જો તમને સીએએના સહારે પાકિસ્તાનના હિન્દુઓને ભારત લઇને જ આવવા છે તો તમે એજ પ્રક્રિયાને શા માટે નથી પ્રમોટ કરતા જે પ્રકિયાની મદદથી અદનાન સામી અથવા કોઇ બીજા પાકિસ્તાની નાગરિક અહીં નાગરિકતા લઇ શકે છે.
સ્વરાએ કહ્યું કે હું નથી ઇચ્છતી કે સીઇઇ અને એનઆરસી ભારતમાં લાગૂ થવી જોઇએ. આપણે આના વગર પણ ઠીક છીએ. સરકાર શા માટે મહત્વના મુદ્દાઓ પર વાત નથી કરી રહી? શા માટે તે ઇકોનૉમી, બેરોજગારી અને સરકારી સંસ્થાઓને યોગ્ય કરવાના પ્રયત્નો નથી કરી રહી? દેશમાં હિન્દુ-મુસ્લિમ ડિબેટ કરાવીને તેઓ મહત્વપૂર્ણ મુદ્દાઓથી જનતાનું ધ્યાન ભટકાવવાના પ્રયત્નો કરી રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે અમે અસમમાં એનઆરસીમાં જોયું. લોકો લાઇનમાં હેરાન થયા, લોકોએ આત્મહત્યા કરી લીધી. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને કેટલાક સોલ્ઝર્સના નામ પણ એનઆરસીમાં સામે નહોતા. લોકોને જબરદસ્તી આર્થિક મુશ્કેલી થઇ અને 1200 કરોડથી વધુ આ પ્રક્રિયા પર ખર્ચાયા. સમગ્ર દેશમાં આને લાગૂ કરવા પર ગંભીર પરિસ્થિતિ પેદા થશે.